મોરબીના રણછોડનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા માટે તેની પાસેથી પોલીસે ૧૦,૬૨૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં સરદારજીના બંગલા પાછળની ભાગમાં શેરીમાં જુગાર રમતા હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સોકત ઈસ્માઈલભાઈ સાયચા, જાવેદ ઈસ્માઈલભાઈ સાયચા અને ભરત ઉર્ફે હિતેશ રવજીભાઈ રેસિયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦,૬૨૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામે ખેડૂતોની જમીનમાં મંજૂરી વગર વિજ લાઇન માટેના પોલ નાખતા ખેડૂતો દ્વારા વાંધા અરજી મોરબી જીલ્લા કલેકટરને કરી છે અને વળતર અંગે સાંભળવામાં આવે અને સર્વે-૯૧ તથા ૯૦ વાળી જમીનની તપાસ કરી રીસર્વે થવા અંગે હુકમ કરવા માંગણી કરવામાં આવી છે.
માળીયા મીયાણાના જાજાસર ગામના અરજદાર...
ભારતના શક્તિશાળી એટેકથી પાક ધ્રુજી ગયું:ભારતનું 'ઑપરેશન સિંદૂર' 30 આતંકીનો ખાતમો
ભારતે પહલગામનો બદલો લેતાં રાત્રે આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી છે જેમાં આતંકીઓના 9 અડ્ડાને ધ્વંશ કર્યો છે જેમાં 30 આતંકી માર્યા ગયા છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લેવાની કાર્યવાહી કરી...
માળીયા મીયાણા તાલુકાના ચિખલી ગામે યુવકે અગાઉ આરોપી પર દારૂનો કેસ થયેલ હોવાની પોલીસ બાતમી આપી હોય એવી યુવક પર શંકા કરી ખાર રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો હોવાની માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) તાલુકાના ચિખલી ગામે રહેતા શેખરભાઈ ચંદુભાઈ નગવાડીયા (ઉ.વ.૨૮)...