બળબળતા ઉનાળા ના બપોરમાં અબાલ વૃદ્ધ શ્રમજીવી મજૂરો વડીલો સૌ કોઈ ને વેચાતું પાણી લેવું પડે છે. આ બાબત ગ્રુપના ધ્યાને આવતા દાતાઓના સહયોગથી હળવદ ના જુદા જુદા વિસ્તારોમાં દરરોજ આખા દિવસ માં ઠંડા પાણીના 50 જગ મુકવામાં આવશે. જળ એ જીવન છે. આવા બળબળતા બપોરે પાણી એ સૌની જરૂરિયાત છે. તરસ્યાને પાણી પાવું એ આપણી નૈતિક ફરજ છે તેથી જ તો પૌરાણિક કાળમાં રાજા-મહારાજાઓ ગામડે ગામડે પાણીની પરબો બંધાવતા. તરસ્યાને પાણી પાવું ઉત્તમ માનવ સેવા છે. ગ્રુપના સભ્યો દાતાઓનો દિલથી આભાર વ્યક્ત કરે છે.
દાતાઓ :-
1. સ્વ. નિરંજન લક્ષ્મીપ્રસાદ ઠાકર ના સ્મરણાથે હસ્તે ભારતીબેન નિરંજનભાઇ ઠાકર હિટાચી ATM
2. સ્વ. ભુપેન્દ્ર એમ ઠાકરના સ્મરણાર્થે હસ્તે ભુપેન્દ્ર વોટર સપ્લાય
3. શ્રીજી મંડપ સર્વિસ હસ્તે મનસુખભાઈ દલવાડી.
નીચે મુજબ ની જગ્યાએ પાણીના જગ મુકવામાં આવશે.
1. બસ સ્ટેશન હળવદ સંચાલક રાજુભાઈ દવે
2. આંબેડકર સર્કલ ટીકર રોડ સંચાલક શ્રી મુન્નાભાઈ પાનવાળા
3. બ્રાહ્મણને ભોજન શાળા પાસે સંચાલક શ્રી કિશન દાબેલી
4. ધાંગધ્રા દરવાજા પાસે સંચાલક શ્રી જયસ્વાલ કોલ્ડ્રિંક્સ
5. સરા ચોકડી સંચાલક શ્રી કમલેશભાઈ ટ્રાફિક પોલીસ.
નોંધ :- લોકોએ ઠંડા પાણીનો બગાડ કરવો નહીં. પીવા માટે પાણી છે હાથ મોઢું ધોવું નહીં. જગ નો નળ વ્યવસ્થિત બંધ કરવો જેથી પાણી ટપકે નહીં.
લોકો ના સાથ અને સહકારની અપેક્ષા
રવી પરીખ હળવદ
મોરબીના મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસના જવાનાએ કર્યા યોગ - પ્રાણાયામ ધ્યાન
મોરબી: આજની આ ભાગ દોડ વાળી જીદંગીમાં લોકો અસ્ત,વ્યસ્ત અને અનેક રોગોથી ગ્રસ્ત અને ત્રસ્ત હોય છે, એમાંય વળી પોલીસ તરીકેની ફરજ ખુબજ આકરી હોય છે, પોલીસના જવાનો પોતાની ફરજના કારણે સમયસર જમી શકતા નથી,સમયસર ઉંઘ લઈ શકતા...
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્કૂલો અને હોસ્પિટલોમાં સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનીંગ આપવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા.૨૯ એપ્રિલ થી ૦૪ મેં સુધી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ પૈકી ૦૩ હોસ્પિટલમાં ૪૮ હેલ્થકેર સ્ટાફને, શાળા પૈકી ૦૩ શાળા ૪૩૦ સ્ટાફને હોટલ પૈકી ૦૩ હોટલ ના...
મોરબી જિલ્લામાં સૌથી વધુ વાંકાનેરના પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.76% પરિણામ, સૌથી ઓછું ચરાડવા કેન્દ્રનું 81.84% પરીણામ
આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યનું કૂલ પરિણામ 83.08 ટકા આવ્યું છે. 89.29 ટકા સાથે બનાસકાંઠા...