મોરબીનાં મહેન્દ્રનગર ગામે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન

સમસ્ત હિન્દુ સમાજ નાં આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ નો જન્મ ચૈત્ર માસ ની શુકલ પક્ષ નવમીનાં દિવસે થયો હતો એટલે પુરા ભારત વર્ષમાં ધુમધામ થી રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામે પણ સમસ્ત ગ્રામજનો દ્વારા રામનવમીને લઇ ને તડામાર તૈયારીઓ ચાલી રહી છે


મહેન્દ્રનગર જુના ગામનાં ઝાપે સવારે ૦૦:૮ કલાકે હનુમાનજીનાં મંદિરે થી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે ગામના વિવિધ વિસ્તારોમાં ફરી શોભાયાત્રા સોસાયટીમાં પ્રવેશ કરશે બાદ મા બપોરના ૧૨ કલાકે જુના ગામનાં ચોક માં શ્રીરામ મંદિરે ખાતે પોંહચી મહાઆરતી કરવામાં આવ્યા બાદ શોભાયાત્રા નું સમાપન કરવામાં આવશે આ શોભાયાત્રામાં અંદાજે ૩૦ થી વધુ બુલેટ મોટરસાયકલ તેમજ ગાડી અને અન્ય વાહનો સાથે ગામ લોકો જોડાશે તો ગામનાં યુવાનો કેસરી ઝબ્બા અને કેસરી સાફા માં સજ્જ થઈ શોભાયાત્રામાં જોડાશે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img