હળવદ તાલુકામાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માં સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગ્રીન ઓફીસ ઇનિસિએટિવ અંતર્ગત ઇન્ડોર પ્લાન્ટ એસન કરવામાં આવ્યું હતું સ્વચ્છતા પખવાડિયું 2022 ની ઉજવણી તા.1-4 થી તા. 15-4 સુધી તાલુકાના વિવિધ સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાશે આ અંતર્ગત તરુણીઓને મેન્સટ્યુંઅલ હાયજીન અંગે શિક્ષણ આપવામાં આવ્યું હતું અને સ્વચ્છતા રાખવા જણાવાયું હતું.
સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે.એમ. કતીરા, ડો.હાર્દિક રંગપરિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભાવિન ભટ્ટીના માર્ગદર્શન કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લામાં વાંકાનેર પાસેના મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે બનાવવામાં આવેલ પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાસ્ત્રોક્ત વિધિ કરી લોકાર્પણ કર્યું હતું.
મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવા માટે જળ સંપતિ વિભાગ...
પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને કૃત્રિમ ઉપાયોનો ઉપયોગ ટાળીને જમીનની ફળદ્રુપતા, પાણીની શુદ્ધતા અને જૈવવિવિધતાને જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીને...
ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને બાર સર્વિસ પેકેજ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ સિધ્ધિ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવતા અને પ્રભાવશીલતાનું ઉન્નત સ્તર પ્રદર્શીત કરે છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કેંદ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નેશનલ...