ઠરાવ અંગે ફેરવિચારણા કરવા નહીં આવે તો રસ્તા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી
મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ રદ્દ કરી તાપીને ફાળવી દેવાતા અન્ય રાજકીય પક્ષો તેમજ સામાજિક સંગઠનો દ્વારા વિરોધના સૂર સામે આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા મોરબીમાં મેડિકલ કોલેજ ફાળવવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.રદ થયેલા ઠરાવ અંગે ફરી વિચારણા કરવામાં આવે અન્યથા આમ આદમી પાર્ટી મોરબી જન આંદોલન કરશે.જરૂર પડ્યે રસ્તાઓ પર પણ ઉતરવાની ચીમકી આપી છે.
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તથા મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા,મોરબી જિલ્લા કિશાન સંગઠન પ્રમુખ પ્રફુલભાઈ હોથી,મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા,મોરબી તાલુકા યુવા પ્રમુખ રમેશભાઈ સદાતિયા,મોરબી શહેર યુવા પ્રમુખ ભવદીપ સિંહ ઝાલા તથા અન્ય કાર્યકરોની હાજરીમાં મોરબી જિલ્લા કલેકટરને મોરબીને થયેલા અન્યાય કે જે મોરબીને મળેલ સરકારી મેડિકલ કોલેજનો ઠરાવ રદ કરી પ્રાઇવેટ મેડિકલ કોલેજ આપવાનો ઠરાવ મંજુર કરેલ છે.તેના વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ ધામ દ્વારા દરરોજ બપોરે તથા સાંજે લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે છેલ્લા ૬ મહિના થી મોરબી મહાનગરપાલિકા સંચાલિત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે રહેતા નિરાશ્રિતો માટે બંને ટાઈમ ભોજન ની વ્યવસ્થા શ્રી જલારામ ધામ-મોરબી...
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, દિલ્હી (NDMA) ની ટીમે મોરબી કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લાની ડિઝાસ્ટર પ્રિપેર્ડનેશની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં પીપીટીના માધ્યમથી જિલ્લામાં ભારે વરસાદથી પૂર, વાવાઝોડા, ઉધોગ ગૃહોમાં અકસ્માતો, ગેસ લીકેજ વગેરે જેવી સંભવિત આપત્તિના સમયમા આફતગ્રસ્તો માટે રાહત બચાવની કામગીરી, તે માટેનું જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાની કમિટીના...