રૂમ ની જર્જરિત દીવાલ મા તિરાડ પડી ગઈ હોવાથી દીવાલ તૂટી પડે એ પહેલા નવી બનાવવા ની આમ આદમી પાર્ટી ની માંગ
આજે આમ આદમી પાર્ટી હળવદ દ્વારા તાલુકા ના જુના ઇસનપુર ગામ ની મુલાકાત કરવા મા આવી હતી,તે દરમિયાન ગામ લોકો ના જણાવ્યા અનુસાર ત્યાં ની જુના ઈશનપુર પ્રાથમિક શાળા ખુબ જર્જરિત હાલત મા હોવા નુ જાણવા મળીયું હતું તે દરમિયાન આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો એ તાત્કાલિક નિશાળ ની મુલાકાત લીધી હતી અને ત્યાં જોવા મળીયું હતું કે નિશાળ ના રૂમ ની અંદર ભણતા બાળકો ના જીવ નો જોખમ છે કેમ કે રૂમ મા ઉપર છત તો છે પરંતુ ક્યારે પડશે એ નક્કી નથી. નિશાળ ના રૂમ ફરતી બાજુ થી જર્જરિત હાલત મા દીવાલ મા તિરાડ પડી ગઈ હોવાથી દીવાલ ક્યારે પડશે એ પણ નક્કી નથી
હાલ ગુજરાત સરકાર મા બની બેઠેલા મંત્રી ઓ ને શિક્ષણ મુદ્દે બોલવા નો ટાઇમ પણ નથી અને વાતો બવ મોટી મોટી કરે છે
શિક્ષણ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ પરંતુ એક બીજી શાળા ની વચ્ચે સારી સુવિધા માટે અને બાળકો ના ભવિષ્ય અને સરા શિક્ષણ બાબતે કોમ્પિટિશન ચોક્કસ થવી જોઈએ
શાળા, કૉલેજ મા અભ્યાસ કરતા બાળકો એ આવતી કાલ નુ દેશ નુ ભવિષ્ય છે.
માટે ગુજરાત ના બાળકો માટે, સારી અદ્યતન સુવિધા થી સજ્જ નિશાળ બને એ માટે આમ આદમી પાર્ટી સતત લડત આપતી રહેશે.
રીપોર્ટ – રવી પરીખ હળવદ
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...