આગામી રવિવારે તા.17 એપ્રિલના રોજ સવારે પક્ષીઓ માટે પાણીના કુંડાઓ તથા અબોલ પશુઓ માટે પાણીની સિમેન્ટની કુંડીઓનું વિતરણ કરવામાં આવશે.
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષીઓને ઉનાળાની ગરમીમાં પાણી મળી રહે તેવા હેતુથી પક્ષીઓ માટે પાણીના કૂંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આની સાથેજ અબોલ પશુઓને જેમકે ગાય,કૂતરાઓ,બિલાડી વગેરેને પણ પાણી મળી રહે તે માટે સિમેન્ટની કુંડીઓનું પણ રાહત ભાવ (ફક્ત રૂપિયા 80)થી વિતરણ કરવા માં આવશે. આ કુંડીમાં 8થી 9 લીટર જેટલું પાણી ભરી શકાય છે.
કુંડીઓનું વિતરણની 17 એપ્રિલ, રવિવાર સવારે 10 વાગ્યેથી સુભાષ ચોક, સરદાર બાગની સામે, ૐ શાંતિ સ્કૂલ પાસે, શનાળા રોડ મોરબી ખાતેથી કરવામાં આવશે. આ વિતરણમાં વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવા જણાવ્યું છે.
મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિરમાં જોડાવા માટે આહવાન કરાયું
મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત,...