મોરબી જિલ્લાના આમરણ પંથકમાં આવેલ બોડકી ગામે છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી ન આવતા ગ્રામજનો ની હાલત કફોડી બની છે પીવા નુ પાણી મેળવવા માટે લોકો એ પાંચ કિલોમીટર દૂર જવું પડે છે ત્યારે માંડ માંડ એકાદ બે બેડા પીવાના પાણી નાં હાથ લાગે છે
ચુંટણી સમયે સબકા સાથ સબકા વિકાસ ની વાતો કરનાર નેતાઓ હાલ આ પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ નો ઉકેલ લાવવા નિષ્ફળ રહ્યાં છે ગ્રામજનો દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારીયા રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા ને રૂબરૂ રજૂઆત કરી હતી જે અંગે નિરીક્ષણ કરેલ હોય છતાં પીવાના પાણીની સમસ્યાનો આજ દિન સુધી કોઈ સુખદ ઉકેલ આવ્યો નથી મુખ્ય કારણ એ છે કે પીપળીયા સંપ માંથી જે પાણીની લાઈન આવી રહી છે તેમાં સાત કરતાં વધુ ગામ ના કનેક્શન આપેલા હોય છેવાડાના બોડકી ગામ સુધી પીવાનું પાણી પહોંચતું નથી ગ્રામજનોની રજૂઆત બાદ હજનારી સંપ માં પાણીની પાઈપલાઈન નાંખવામાં આવી હતી
પરંતુ આમરણ ચોવીસી ના 14 ગામોએ વિરોધ કરતાં બોળકી ગામ નું પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હોય હાલ બોળકી ગામ ને પીવાનું પાણી મળતું ન હોય ગ્રામજનો પાંચ કિલોમીટર દૂર રાજપર , દહીસરા ગામ ખાતેથી પીવાનું પાણી ભરવા મજબુર બન્યા છે તળાવનું પાણી દુર્ગંધ મારતું હોય પીવા લાયક ન હોય અને નજીકના વિસ્તારમાં દરિયો હોય બોરનું પાણી પણ ખારું નીકળતા પીવાના પાણી તરીકે તેનો ઉપયોગ થઈ શકતો નથી નાછૂટકે ગ્રામજનો એ પૈસા ખર્ચીને પીવાના પાણીનું ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનો સુખદ અંત આવે તેવું તંત્ર પાસે ગામલોકો ઇચ્છી રહ્યા છે
ચાલુ વર્ષે ભારતમાં આબોહવા અને ઋતુચક્રમાં એક મોટો તથા ચિંતાજનક બદલાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે કાળઝાળ ગરમી એપ્રિલ કે મે મહિનામાં અનુભવાતી હોય છે, તેણે આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં...
રાજકોટ શહેર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. આ ચૂંટણી જંગમાં મજબૂત દાવેદારી નોંધાવવાના હેતુથી આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાની સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે પાર્ટી દ્વારા તાજેતરમાં રાજકોટના તમામ વોર્ડ માટે સઘન ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં...
મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ અંતર્ગત શાળા સલામતી અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ, પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ સમયે કેવી રીતે સાવચેત રહેવું અને સુરક્ષિત રીતે વર્તવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના ભાગરૂપે શાળા પરિસરમાં ફાયર ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં...