મોરબી: મોરબીમાં જાહેર રોડ ઉપર ટ્રક ટેલરનુ પાછળના જોટાનુ એક વ્હીલ નીકળી મોટરસાયકલ સાથે અથડાતા બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે બાઈક સવારે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવા મકનસર ગામે રહેતા અશોકભાઇ બહાદુરભાઈ સારલા (ઉ.વ.૪૪) એ આરોપી ટ્રક ટેલર નં – GJ-12-AZ-6162 વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૨-૧૦-૨૦૨૨ ના રોજ સવારના સાડા દશેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક ટેઇલર નંબર- GJ-12-AZ-6161 વાળુ જાહેર રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવતા તે ટેઇલરનુ ખાલી સાઇડના પાછળના જોટાનુ એક ટાયર ફાટતા તે ટાયર નીકળી ફરીયાદીના મોટરસાયકલ નંબર- GJ-36-AB-3596 વાળા સાથે અથડાતા ફરીયાદી તથા તેના સાથે દેવાભાઇ મોટરસાઇકલ સહીત નીચે રોડ ઉપર પડી જતા ફરીયાદી જમણા પગમાં સાથળના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા કરી તથા સાહેદ દેવાભાઇને સામાન્ય છોલછાલ જેવી ઇજા પહોંચાડી પોતાના હવાલાવાળુ ટેઇલર લઇ નાશી ગયો હતો. આ બનાવ અંગે અશોકભાઈએ આરોપી ટ્રક ટેલરના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એ. કલમ-૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીંયાણાની ભીમસર ચોકડી પાસેથી એક ઈસમને દેશી તમંચા સાથે માળીયા તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન માળીયામાઁ પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમસર ચોકડી થી મોરબી તરફ રોડ ઉપર નરેશજી જીલાજી મુલાડીયા (ઠાકોર) વાળો પેન્ટના...
નાબાર્ડ - નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ દ્વારા ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કામગીરી કરે છે. મોરબી જિલ્લામાં નાબાર્ડ દ્વારા સ્કીલ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ (SEDI) ગ્રામ્ય વિસ્તારના યુવાઓના ભવિષ્ય નિર્માણ માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૧૧.૫૬ લાખની સહાય કરી છે જેના થકી યુવાનો તાલીમબધ્ધ થઈ રોજગારીની તક...
મોરબી : રાજ્ય સરકારના વિકાસ સપ્તાહ અંતર્ગત મોરબી GMERS મેડિકલ કોલેજના માનસિક આરોગ્ય વિભાગ (Department of Psychiatry) દ્વારા તા. 07/10/2025 થી 15/10/2025 દરમિયાન સમાજના વિવિધ વર્ગોમાં માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે અનેક પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમોનો હેતુ લોકોમાં માનસિક આરોગ્ય પ્રત્યેની સમજણ વધારવાનો, વ્યસન મુક્તિનું મહત્વ...