ચારણ મહાત્મા ઈશરા સો પરમેશ્વરા પૂ.ઈશરદાસજી બારહટ ની ૫૬૪મી જન્મ જયંતિ નિમિતે અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા તા.૩૦-૭-૨૦૨૨ને શનિવાર નાં રોજ ઈશર વંદના નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત સાંજે ૫:૩૦કલાકે મોરબી અધ્યક્ષ ડો કિશોરદાન ગઢવીને આંગણે હરિરસ – દેવિયાંણ નાં પાઠ તથા માતૃશક્તઓ અને આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદ અને રાત્રે ૯:૩૦ કલાકે ક્રિષ્ના હોલ ખાતે ઈશર વંદના સંતવાણી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઈશર વંદના માં ચારણ સમાજ નાં ખ્યાતનામ કલાકારો સાહિત્યકારો સર્વશ્રી યશવંતભા લાંબા, કવિ પ્રદીપદાન ગઢવી, કવિ વિજયભા બાટી, હકાભા ગઢવી, ભાવેશ રામ સહિતના સાહિત્ય દિગ્ગજો સાહિત્ય અને સુરોનું રસપાન કરાવશે.
તો સાથે ચારણ સમાજ નાં વિવિધક્ષેત્રનાં પ્રતિષ્ઠીત માનવંતા મોભીઓ કાર્યક્રમને દીપાવશે. મોરબી અધ્યક્ષ ડો.કિશોરદાન ગઢવી તથા તાલુકા અધ્યક્ષ શ્રી દિનેશભા ગુઢડા દ્રારા આ કાર્યક્રમ નો લાભ લેવા સૌ ભાવિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.આ સમગ્ર કાર્યક્રમ નુ લાઈવ પ્રસારણ વોઇસ ઓફ મોરબી નાં ફેસબુક પેજ પર પણ માણી શકાશે.
મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધાર મહોત્સવ આગામી તા. 11 ના રોજ યોજાશે. ત્યારે યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગો તેમજ સંતો મહંતોની હાજરીમાં ધર્મસભા રાખવામા આવેલ છે. અને ત્યારે રાજ્યના મંત્રી સહિતના રાજકીય અગ્રણીઓ સહિતના હાજર રહેશે. ત્યારબાદ ગામનો સમૂહ પ્રસાદનું યોજાશે જેનો વધુમાં વધુ લોકોને લાભ લેવા...
મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પોલ સાથે સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી કરવામાં આવી હતી, મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક શાખા એ જુદા જુદા વિસ્તારમાં જરૂરિયાત મુજબ કુલ 151 સ્ટ્રીટ લાઈટ રૂ.58 લાખના ખર્ચે નાખી હતી. ઇલેક્ટ્રિક શાખાની આ કામગીરી થી આ વિસ્તારોમાં રાત્રિના સમયે રાહદારીઓને આવવા-જવા માં સરળતા...
મોરબી શહેરમાં રહેતા અને આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર યુવકને આરોપીએ પોતાના મોબાઈલમાં ફેક ફેસબુક આઈડી બનાવી તે પરથી યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનતી કરી ગાળો આપી તથા સાથીઓને પણ અભદ્ર ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ સબજેલ પાસે વણકરવાસમાં રહેતા ધંધો કરતા અને આમ...