મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષ થી વિદ્યાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિદ્યાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે.
TET TATની પરીક્ષામાં જે સરકાર દ્રારા જ્ઞાન સહાયક ભરતી યોજના બનાવમાં આવી છે તેમાં 11 મહિનાના કરાર આધારીત ભરતી કરવામાં આવશે. તો ABVP ની અને બધા પરિક્ષાર્થીઓની માંગણી છેકે કાયમી સરકારી શિક્ષકોની ભરતી કરો અને જ્ઞાન સહાયક યોજના રદ કરો. આની પહેલા પણ ABVP દ્રારા ગુજરાતના દરેક જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે હાલ ગુજરાતનાં દરેક જિલ્લામાં ઉગ્ર રજુઆત અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેને લઇ ABVP મોરબી શાખા દ્વારા પણ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવશે. તો મોરબી જિલ્લા ના તમામ TET TAT ના ઉમેદવારોને મોટી સંખ્યામા જોડવા ABVP આહવાન કરવામાં આવ્યું છે.
શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ. મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરુ-ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ-મોરબી) ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ ધામ ખાતે એ.સી. હોલ માં શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરૂ આયોજન...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વુમન વન ડે ક્રિકેટ મેચ રમાઈ રહી છે ત્યારે મોરબીના અમરેલી ગામની સીમમાં નેકસસ સીનેમા પાસે જાહેરમાં વુમન વન ડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઈસમોને કુલ કિં રૂ.૭,૦૦૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ...
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ વચ્ચે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના ઘુંટુ રોડ પર આવેલ આઇકોન સિરામિકમા ચારીત્ર બાબતે ખોટી શંકા કુશંકા કયી પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ રાજ્યના...