મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ – ૨૦૨૨ માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી 1. Internet Banking. 2. Credit Card 3. UPI ID-UPI QR Code. 4. NEFT વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે.
આઈ.ટી..આઈ મોરબી ખાતે ૧૦:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની કામગીરી માટે તેમજ આઈ.ટી..આઈ વિશે માર્ગદશન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત છે.
ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટેની છેલ્લી તા.૨૦/૬/૨૦૨૨ છે. વધુ માહિતી માટે સંસ્થાની વેબ સાઇટ https://itimorbi.gujarat.gov.in/ ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (૪) જાતીનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય) (૫) આધર કાર્ડ (૬) પાસપોર્ટ સાઈઝ ફોટો (૭) બેંક પાસબૂક (મરજીયાત) (૮) આવકનો દાખલો (૯) BPL (જો લાગુ પડતું હોય) સહિતના જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે લાવવાના રહેશે. વધુ માહિતી માટે ૯૬૦૧૧૦૦૬૩૮, ૮૩૨૦૧૬૯૫૯૯, ૯૭૧૨૧૫૭૪૧૭ નંબર પર સંપર્ક કરવા મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.
૧૪ મી નવેમ્બરને બાળ રાષ્ટ્રીય દિવસ તરીકે આખા ભારત દેશમાં ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સનગર (ગોકુળ)પ્રાથમિક શાળામાં બાળકોને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના દિલેર દાતા લા હરખજીભાઈ ટી સુવારિયા તરફથી નાસ્તો કરાવવામાં આવ્યો.
પાસ્ટ પ્રેસિડેન્ટ લા. ત્રિભોવનભાઈ સી ફુલતરિયાએ શાળાના વિદ્યાર્થીઓને...
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે સંસ્થાના પ્રમુખ માનનીય પી.ડી. કાંજિયાના માર્ગદર્શન હેઠળ ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક મુલાકાત તથા જિલ્લા સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ સાથે જોડાયેલ વિશાળ કાર્યક્રમો સફળ પૂર્વક યોજાયા.
ધોરણ 10 અને 12 – માર્ગદર્શન સેમિનાર
બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આયોજિત...
મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના સિદ્ધાંત સાથે કાર્યરત
મોરબી: મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા સેવા અને માનવતાના ઉત્તમ ભાવને આગળ વધારતા આજે એક વિશેષ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના એક દિવ્યાંગ લાભાર્થીને તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રાઈસિકલ (ત્રિપલ સાયકલ) વિતરણ કરવામાં આવ્યું.
આ ટ્રાઈસિકલ મળવાથી દિવ્યાંગ...