થોડા સમય પહેલા મોરબીના જેતપર ગામે અમુક આવારા તત્વો દ્વારા યુવકને માર મારવાની ઘટના સામે આવી હતી જેના વિરોધમાં જેતપર ગામના રહેવાસીઓ એ બંધ પડ્યું હતું. મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ અજયભાઈ લોરિયા દ્વારા મોરબી જિલ્લા પોલીસ વડા અને કલેકટરને પત્ર લખ્યો છે.
અજયભાઈ એ પત્રમાં જણાવ્યું હતું કે જેતપર ગામે આવારા તત્વો દ્વારા નિર્દોષ ગામના સેવાભાવી યુવાન પર પાઈપ અને ધોકા વડે જાનલેવા હુમલો કર્યો હોઈ ત્યારે યુવાન ને ગંભીર ઈજાઓ પહોંચી હોઈ. જેતપર ગામની એકતાને તોડવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોઈ ત્યારે આ બાબતે આવતા તત્વો વિરૂદ્ધ કાયદેસરની કડક સજા ફટકારી કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લા પોલીસ વડા અને કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે મોરબી જિલ્લામાં પધારેલા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ હળવદ વિસ્તારમાં પિયત મંડળીઓની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘ હેઠળ મોરબીમાં હળવદ તાલુકામાં વિવિધ પિયત મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લઇ તેમની સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ આ વિસ્તારમાં...
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ૭૯ મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે આવેલ ઉદ્યાનમાં કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધોન કરવામાં આવ્યું હતું તેમજ મહાનગરપાલિકા...
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળામાં ૭૯ મો સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નાટક, ભજન, દેશ ભક્તિના ગીતો રજૂ કરાયા હતા. તેમજ શાળામાં તૈયાર કરવામાં આવેલ રોપાઓ મહેમાનો તથા ગ્રામજનોને શાળા દ્વારા વિના મૂલ્યે વિતરણ કરી એક અનોખી રીતે સ્વાતંત્ર્ય...