થોડા સમય પહેલા મોરબીના જેતપર ગામે અમુક આવારા તત્વો દ્વારા યુવકને માર મારવાની ઘટના સામે આવી હતી જેના વિરોધમાં જેતપર ગામના રહેવાસીઓ એ બંધ પડ્યું હતું. મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ અજયભાઈ લોરિયા દ્વારા મોરબી જિલ્લા પોલીસ વડા અને કલેકટરને પત્ર લખ્યો છે.
અજયભાઈ એ પત્રમાં જણાવ્યું હતું કે જેતપર ગામે આવારા તત્વો દ્વારા નિર્દોષ ગામના સેવાભાવી યુવાન પર પાઈપ અને ધોકા વડે જાનલેવા હુમલો કર્યો હોઈ ત્યારે યુવાન ને ગંભીર ઈજાઓ પહોંચી હોઈ. જેતપર ગામની એકતાને તોડવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોઈ ત્યારે આ બાબતે આવતા તત્વો વિરૂદ્ધ કાયદેસરની કડક સજા ફટકારી કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લા પોલીસ વડા અને કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...