મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી
કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગત રવિવારે આમરણ ચોવીસી વિસ્તારના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
વર્ષાઋતુ સંદર્ભે હાલ મેઘરાજાએ ગુજરાત પર ખૂબ મહેર કરી છે. ઘણા વિસ્તારોમાં ભારે/અનરાધાર વરસાદના પગલે કૃષિમાં પણ નુકશાન થયું છે. જે અન્વયે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ભીમકટા, માણામોરા, કોઠારીયા, દુધઈ તેમજ મોરબીના આમરણ, બેલા(આ), ઉટબેટ સામપર, ફડસર, ઝીંઝોડા, રાજપર, નવા ખારચીયા તેમજ રામનગર ગામની મુલાકાત લીધી હતી.
આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ કુદરતી આપત્તિ સમયે સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઊભી છે. વધુમાં મંત્રીશ્રીએ ત્યાંની પરિસ્થિતીની સમીક્ષા કરી ખેડૂતો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.
આ તકે મંત્રી સાથે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબીયા, અગ્રણી દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી ખેતીવાડી અધિકારી ડૉ. વિક્રમસિંહ ચૌહાણ તથા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાની કુલ ૧૦ ગ્રામ પંચાયત ખાતે એક મહત્વપૂર્ણ અને લોકોને પ્રેરણા આપનારો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના લાભાર્થીઓના આવાસોમાં ફળદ્રુપ વૃક્ષ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં આંબાના ૧૫૦ છોડનું પ્રતિકારક રૂપે વિતરણ કરાયું. આ...
મોરબી જીલ્લા કલેકટર ઓફિસનુ તંત્ર ખાડે ગયું છે કલેકટર દ્વારા અરજદારોને સાંભળવામાં નથી આવતા તથા સાહેબ મીટીંગમા છે તેમજ અરજદારોને સાંભળીયા વગર અધિક કલેક્ટર પાસે મોકલી દેવામાં આવે છે. જેથી દુરથી આવતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્ય છે જેથી આ બાબતે યોગ્ય કરવા પૂર્વ સલાહકાર અને નાગરિક પુરવઠાના પી.પી....