મોરબીના બરવાળા થી બગથળાને જોડતો રસ્તો ડામર રોડ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી તાલુકાના બરવાળા ગામ થી બગથળા ગામને જોડતો રોડ છેલ્લા ૭૮ વર્ષોથી કાચો રોડ છે જે તાત્કાલિક ડામર રોડ બનાવવા જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશન કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી ડામર રોડ બનાવવા માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકાના બરવાળા ગામ થી બગથળા ગામને જોડતો રોડ જે આજે આઝાદીના ૭૮વર્ષ થી પણ વધારે વર્ષો થયા હોવા છતાં કાચો રોડ છે. આ રોડ ઉપર બરવાળા થી બગથળા જવા માટે લોકો તેનો ઉપયોગ કરે છે. પરતું ચોમાસામાં આ રોડ ચાલવા લાયક હોતો નથી બરવાળા ગામ ની બધીજ જરૂરિયાત માટે મોટા ભાગે બગથળા ગામ ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે. જેવું કે બેંક, પોલીસ સ્ટેશન, હેલ્થ સેન્ટર અને તાલુકા શાળા ના કામો માટે આ રોડ ખુબજ અગત્ય નો છે.
તદઉપરાંત ખેવાળિયા, નારણકા, લુંટાવદર, પીપળીયા વગેરે ગામના લોકો બગથળા ખાતે આવેલ નકલંક ભગવાન ની પ્રસિદ્ધિ જગ્યા ના દર્શન માટે જવા માટે આ રોડ નો ઉપયોગ કરતા હોય છે. તો અમારી માંગણી છે કે આ રોડ ને તાત્કાલિક ડામર રોડ બનાવામાં આવે જો આવું કરવામાં નહી આવે તો સ્થાનિક ગામના લોકો ને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચિમકી ઉચ્ચારી છે.