ભારત વિકાસ પરિષદ મોરબી તથા સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ રાજકોટ અને અભિનવ સ્કૂલ મોરબી ના સંયુક્ત ઉપક્રમે ગઈ કાલે વૈદિક પેરેન્ટિંગ સેમીનાર નું આયોજન અભિનવ સ્કૂલ મોરબી ખાતે કરવામાં આવ્યું.આ સેમીનાર માં સ્વાગત પરિચય અભિનવ સ્કૂલ ના ટ્રસ્ટી લલિતભાઈ કાનાણી દ્વારા તેમજ વિષય પ્રસ્તાવના ભારત વિકાસ પરિષદ મોરબી શાખા ના અધ્યક્ષ ડો જયેશભાઈ પનારા દ્વારા કરવામાં આવેલ.ઉપસ્થિત મહેમાનો ને સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ દ્વારા પુસ્તક આપી સન્માનિત કરવામાં આવેલ.
પંચકોષ એટલે શું? બાળકો નું ઘડતર કઈ રીતે કરવું?બાળકો ની સમસ્યાઓ કઈ રીતે દૂર કરવી?બાળકો ની સુષુપ્ત શક્તિઓ નો વિકાસ કઈ રીતે કરવો? જેવા મુદ્દા ઉપર સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ ના ડો.મેહુલભાઈ આચાર્ય દ્વારા સચોટ માર્ગદર્શન અને પ્રશ્નોત્તરી દ્વારા વાલીઓ ને મુંઝવતા પ્રશ્નો ના જવાબ આપવામાં આવ્યા હતા.આ સેમીનાર માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ મોરબી ના સહ કાર્યવાહ જસ્મીનભાઈ તથા અભિનવ સ્કૂલ ના ટ્રસ્ટી મનોજભાઈ ઓગણજા તથા કમલેશભાઈ લીખીયા તથા વિ. હિ.પ ગ્રામ્ય અધ્યક્ષ પુષ્પરાજસિંહ જાડેજા તથા મોટી સંખ્યા માં વાલીઓ અને ભારત વિકાસ પરિષદ ના સભ્યો જોડાયા હતા.આ કાર્યક્રમ નું સફળ સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
મોરબી શહેરમાં રહેતા આધેડ એક શખ્સ પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધેલ હોય જે રૂપિયા અડધા ભરી દિધેલ હોય અને બીજા ભરી ન શકતા આરોપીએ આધેડને ફોન પર ટાઈમે રૂપિયા ભરી જવા ધમકી આપતા આધેડે ફિનાઈલ ગટગટાવ્યું હતું.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર ફારુકભાઇ મોહમદભાઇ ગલેરીયા (ઉ.વ.૫૧)...
ટંકારા તાલુકાના રોહિશાળા ગામની આથમણી સિંહમાં ઘોઘમના કાંઠે આવેલ ખેતરના છેવાડે બાવળના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને રોકડ રૂપિયા ૬૫૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિં રૂ.૧૬,૫૦૦ નો મુદામાલ ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય ત્રણ ઈસમો સ્થળ પરથી નાસી છુટતા તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા...
હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં યુવક તથા તેના સાથીને મારી નાખવાના ઇરાદે યુવકની ઓરડીના દરવાજા પર બે શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ ધ્રાંગધ્રા દરવાજા અંદર રાવલફળી વજેરીવાસમા રહેતા માજીદભાઈ યુનુસભાઈ સંધી (ઉ.વ.૩૫) એ આરોપી બે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં...