મોટાખીજડીયા ખાતે શ્રી ઉમિયા સમાજવાડી નો ભવ્ય ઉદ્દઘાટન સમારંભ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
તા: ૨૧-૧૦-૨૦૨૨ ના રોજ મોટા ખીજડીયા ખાતે શ્રી ઉમિયા સમાજવાડી નો ભવ્ય ઉદ્દઘાટન સમારંભ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ મંગલમય પ્રસંગે અજંતા ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો પાટીદાર રત્ન શ્રી જયસુખભાઇ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે નકલંક ધામ ના મહંતશ્રી દામજી ભગત, શ્રી પ્રભુ ચરણદાશજી, વસંતભાઈ ભાલોડીયા, પોપટભાઈ કગથળા, હીરાભાઈ ફેફર, અરવિંદભાઈ બારૈયા જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ પ્રસંગે શ્રી જયસુખભાઇ એ બ્લડ ડોનેટ કર્યું અને ઉપસ્થિત સર્વ ગ્રામજનોને વધુને વધુ બ્લડ ડોનેટ કરવા માટેની વિનમ્ર અપીલ કરી હતી તેમજ બ્લડ ડોનેટ કરનાર દરેક વ્યક્તિને શુભેચ્છા મોમેન્ટો આપવાની પણ જાહેરાત કરી હતી જેથી વધુ માં વધુ લોકો ને બ્લડ ડોનેટ કરવાની પ્રેરણા મળે.
મોટા ખીજડીયા ગામના દરેક કાર્યકરોએ જયસુખભાઇ ની ઉપસ્થિતિને હૃદય પૂર્વક આભાર માનીને બિરદાવી હતી તેમજ હર હંમેશ સાથ અને સહકાર બદલ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો….
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...