મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પુત્ર ના જન્મદીન ની ઉજવણી કરતા PSI ડી.બી. ઠક્કર
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ટ્રાફીક શાખા માં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા ડી.બી.ઠક્કર દ્વારા તેમના પુત્ર બ્રિજભાઈ ઠક્કર ના ૨૧મા જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરવામાં આવી હતી.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના સ્વજનો ના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે પી.એસ.આઈ. ઠક્કર દ્વારા સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. આ તકે પી.એસ.આઈ. ડી.બી. ઠક્કર, નીતાબેન દીલીપભાઈ ઠક્કર, બ્રિજભાઈ ઠક્કર, હેમાંગીબેન ઠક્કર, મીતભાઈ ઠક્કર સહીત ના ઠક્કર પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી તેમના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ,અનિલભાઈ સોમૈયા,કીશોરભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.
માળીયા મીંયાણાની ભીમસર ચોકડી પાસેથી એક ઈસમને દેશી તમંચા સાથે માળીયા તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન માળીયામાઁ પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમસર ચોકડી થી મોરબી તરફ રોડ ઉપર નરેશજી જીલાજી મુલાડીયા (ઠાકોર) વાળો પેન્ટના...
નાબાર્ડ - નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ દ્વારા ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કામગીરી કરે છે. મોરબી જિલ્લામાં નાબાર્ડ દ્વારા સ્કીલ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ (SEDI) ગ્રામ્ય વિસ્તારના યુવાઓના ભવિષ્ય નિર્માણ માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૧૧.૫૬ લાખની સહાય કરી છે જેના થકી યુવાનો તાલીમબધ્ધ થઈ રોજગારીની તક...
મોરબી : રાજ્ય સરકારના વિકાસ સપ્તાહ અંતર્ગત મોરબી GMERS મેડિકલ કોલેજના માનસિક આરોગ્ય વિભાગ (Department of Psychiatry) દ્વારા તા. 07/10/2025 થી 15/10/2025 દરમિયાન સમાજના વિવિધ વર્ગોમાં માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે અનેક પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમોનો હેતુ લોકોમાં માનસિક આરોગ્ય પ્રત્યેની સમજણ વધારવાનો, વ્યસન મુક્તિનું મહત્વ...