મોરબી:અહીંના લોકો સતત કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે,અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે
ત્યારે સ્વ.સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાનું દુઃખદ અવસાન થતાં એમના આત્માની શાંતિ અને કલ્યાણાર્થે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક,મોરબી ખાતે કરવામાં આવ્યું હતું, રક્તદાન એ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા અને કુંડારિયા પરિવારના આહવાનને માન આપી સગા, વ્હાલા, સ્નેહીજનોએ 161 બોટલ એકત્ર કરી સિવિલ હોસ્પિટલ મોરબી અને સ્વામિનારાયણ સંસ્કાર બ્લડ બેંકમાં બોટલ આપેલ છે,રકતદાન કેમ્પને સફળ બનાવવા નવનિતભાઈ કુંડારિયા,કિશોરભાઈ કુંડારીયા,દિવ્યકાંત ભાટિયા,તેમજ સ્વ.સંગીતાબેનના પુત્ર જીત તેમજ કુંડારીયા પરિવાર તેમજ ભાટિયા પરિવારના તમામ સદસ્યોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...