મોરબી: મોરબી તાલુકાના માણેકવાડા ગામે બોલ કળાકડ સિતારામ બાપુની ૧૬મી પુણ્યતિથિ નિમિત્તે માણેકવાડા ગામે બોલ કળાકડ સિતારામ બાપુની મઢુલી ખાતે તા.૧૧-૦૧૧-૨૦૨૪ ના રોજ ભવ્ય સંતવાણીનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય સંતવાણીમાં કલાકાર પરેશ પ્રજાપતિ, હિતેષગીરી ગૌસ્વામી, મિલન પટેલ, અશોક ગોંડલીયા, રાહુલ મકવાણા સહીતના કલાકાર પોતાના કોકીલકંઠ અવાજમાં ભજન સરવાણીની રમઝટ બોલાવશે આ તકે સર્વ ધર્મપ્રેમી જાહેરજનતાને પધારવા માણેકવાડા ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂ બીયર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૧,૪૭,૦૪૦ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે...
મોરબીના વીસીપરા વિસ્તારમાં સેન્ટમેરી ફાટક પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ. ૪૦૯૫૦ નો મુદામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી નવલખી રોડ સેન્ટમેરી ફાટક પાસે રહેતા આરોપી રોહીત મુન્નાભાઈ સરવૈયા એ...
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...