બોલિવૂડ એક્ટર શરમન જોશીના પિતા અરવિંદ જોશીનું દુખદ નિધન થયું. ગુજરાતી થિયેટરના અભિનેતા અને દિગ્દર્શક અરવિંદ જોશીએ આજે 29 જાન્યુઆરીએ વિશ્વને અલવિદા કહ્યું. અરવિંદ જોશીનું મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં નિધન થયું હતું. જો કે, શા કારણે તેનું મૃત્યુ થયું તે અંગેની જાણકારી મળેલ નથી. અભિનેતા પરેશ રાવલે અરવિંદ જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે અરવિંદના મોતને ભારતીય થિયેટર માટે એક મોટી ખોટ ગણાવી. પરેશ રાવલે ટ્વિટ કર્યું હતું કે, “ભારતીય થિયેટરને મોટું નુકસાન. અમે જાણીતા અભિનેતા શ્રી અરવિંદ જોશીને ખૂબ જ ઉદાસીથી વિદાય આપીએ છીએ. એક સ્ટાલ્વોર્ટ, વર્સેટાઇલ એક્ટર, એક કુશળ થિસ્પીઅન, આ તે શબ્દો છે જે તેના પ્રભાવ વિશે વિચારતી વખતે મારા મગજમાં આવે છે. શરમન જોશી અને તેના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ઓમ શાંતિ. ” જણાવી દઈએ કે અરવિંદ જોશી એક જાણીતા ગુજરાતી થિયેટર કલાકાર હતા. અરવિંદના લગ્ન બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપડાની પુત્રી પ્રેરણા સાથે થયા હતા. તે પ્રખ્યાત ટીવી અભિનેત્રી સરિતા જોશીના ભાઈ અને કેતકી દવેના મામા છે. અરવિંદ જોશીને બે બાળકો છે – શરમન અને માનસી. માનસી જોશીએ પણ ટેલિવિઝન જગતમાં કામ કર્યું છે અને તે અભિનેતા રોહિત રોયની પત્ની છે. અરવિંદ જોશીના પુત્ર શરમન વિશે વાત કરીએ તો શરમન જોશી બોલિવૂડના જાણીતા અભિનેતા છે. તેણે તેની અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ 1999 માં ફિલ્મ ગોડમધર દ્વારા કરી હતી. શરમનને બોલિવૂડમાં કામ કરી રહયાને બે દાયકાથી વધુનો સમય થઈ ગયો છે. તેણે ફરારી કી સવારી, 3 ઇડિઅટ્સ, રંગ દે બસંતી, ગોલમાલ સહિતની ઘણી ફિલ્મો કરી છે
બોલિવૂડ એક્ટર શરમન જોશીના પિતા અરવિંદ જોશીનું દુ:ખદ નિધન, પરેશ રાવલે તેમના નિધન અંગે શોક વ્યક્ત કર્યો.
વધુ જુઓ
મોરબી ગઢવી સમાજનું ગૌરવ PSI હિરેન ગઢવીનો આજે જન્મદિવસ
મોરબી: મોરબી ગઢવી સમાજનું ગૌરવ મૂળ માળિયા (મી) તાલુકાના સોખડા ગામના વતની અને હાલ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હિરેન નરસિંહ ગઢવીનો આજે જન્મદિવસ છે ત્યારે તેઓના મિત્ર વર્તુળમાંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે ઉલ્લેખનીય છેકે પીએસઆઈ હિરેન ગઢવી નાની ઉંમરમાં જ પીએસઆઈ તરીકે પસંદગી પામ્યા...
મોરબીના રંગપર ગામે કારખાનામાં શરીર પર લોડરનુ વ્હીલ ફેરવી દેતા યુવકનું મોત
મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઓરાજોન પેપર મીલ કારખાનાના કાટા નજીક શરીર ઉપર લોડરનુ વ્હીલ ફેરવી દેતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઓરાજોન પેપર મીલ...
જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત યુવા પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી માટે બેટરી ટેસ્ટનું આયોજન
મોરબી: સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત આયોજિત ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન દ્વારા યુવા પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે મોરબી જિલ્લામાં તા.૩૦/૦૩/૨૦૨૪ થી તા.૦૨/૦૪/૨૦૨૪ સુધી જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટનું આયોજન થનાર છે. જેમાં જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટમાં ખેલ મહાકુંભ-૨.૦ અંતર્ગત તાલુકા કક્ષા સ્પર્ધામાં પસંદગી પામેલ ખેલાડીઓ અને...