વાવાઝોડા અસરગ્રસ્ત લોકોને કેશડોલ્સ ચુકવવામાં આવશે
સ્થળાંતર કરાયેલ લોકોને કેશડોલ્સ ચૂકવવા નિર્ણય કરવામાં આવ્યો
સ્થળાંતરીત પુખ્ત વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને 60 રૂપિયા લેખે મહતમ પાંચ દિવસની કેશડોલ્સ આપવા નો નિર્માણ કરવામાં આવ્યો છે
ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
જે અન્વયે સ્થળાંતર કરાયેલ પુખ્ત વયની વ્યક્તિને્ 100 રૂપિયા પ્રતિદિન જ્યારે બાળકોને પ્રતિદિન 60 રૂપિયા ચુકવવાનો પ્રજાહિતકારી નિર્ણય લેવાયો છે, મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશ ડોલ્સની ચુકવણી કરવામાં આવશે.