સાપર તારા બેસણા ચરાડવા તુંજ ધામઉદા ચારણ નાં ઘરે અવતર્યા માં રાજબાઈ ધર્યું નામત્રણ સાદે દોડતાં આવે તેવા જાજરમાન જગદંબા એટલે માં રાજબાઈ તેમનો પ્રાગટ્ય દિવસ ફાગણ સુદ બીજ છે. અને જ્યાં તેમના છોરુડા છે ત્યાં તેમનો આ પ્રાગટ્ય દિવસ ઉજવવા થનગ બની રહ્યા છે.
જેમાં કચ્છનાં પ્રવેશ દ્વાર પાસે આવેલા નવા કટારીયા ગામમાં માં રાજબાઈ નું મોટું મંદિર છે. દરેક વર્ણના લોકો અહીં માં રાજબાઈની આરાધના કરે છે. જેઓ દર વર્ષે પગપાળા સંઘ દ્વારા ચરાડવા આવે છે તે રીતે આ વર્ષે પણ અને ફાગણ સુદ બીજના પ્રાગટ્ય દિવસે મોટો સંઘ કાઢીને પગપાળા ચરાડવા ગામ રાજબાઈ ધામ પહોંચ્યા છે. જ્યાં રાજબાઈ માતાજીના મંદિરે થી વિશાળ શોભાયાત્રા નીકળી હતી જેમાં દરેક ભાવિકો નાથ ગાન કરતા માતાજીના ગુણ ગાન ગાતા ગાતા ભાઈ શોભાયાત્રામાં જોડાયા હતા પહોંચે છે.તારીખ ૧૨-૩-૨૦૨૪ ને મંગળવારે ફાગણ સુદ બીજ મંગળ પ્રાગટ્ય દિવસ હોય રાજબાઈ માતાજીના મંદિરે હવન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. આ જ રીતે સાપર ગામ અને આંદરણા ગામે રાજબાઈ માતાજીના મંદિરે હવન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે બટુક ભોજન અને સાંજે મહાપ્રસાદ નું આયોજન કર્યું છે જ્યારે આંદરણા ગામે રાત્રી દરમિયાન સંતવાણી ભજન ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે.એકંદરે મા રાજબાઈ નો પ્રાગટ્ય દિવસ ફાગણ સુદ બીજ હોય છે તેની ઉજવણી કરવા સૌરાષ્ટ્ર કચ્છ અને સમગ્ર ગુજરાતમાં થી રાજલ છોરૂ ચરડાવા આવી પહોંચ્યા છે . અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
કેજી થી કોલેજ માસ્ટર ડિગ્રી ના વિદ્યાર્થીને શિલ્ડ તેમજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ગોસ્વામી સમાજનો ચતુર્થ વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેજી થી કોલેજ માસ્ટર ડિગ્રી દરેક માં વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં પાસ થયેલા વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં ૧ થી 3...
મોરબી: શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ - ૦૬/૦૭/૨૦૨૫ રવિવાર સવારે ૯/૦૦ વાગ્યે રાખવામાં આવેલ છે.
એ અનુસંધાનમાં કોળી સમાજ બોડીગ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સમાજ ના તમામ ભાઇઓ બહેનો ને...
ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે આવેલ જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈએ ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈને ગુરુવારના રોજ સવારે ૭:૩૦ કલાકે ગુરૂ પુજન તથા સવારે ૦૯:૩૦ કલાકે સુંદરકાંડ અને સાંજે ૦૬:૩૦ કલાકે મહાઆરતી તેમજ સાંજના ૦૭:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી...