મોરબી તાલુકાના માણેકવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય બની ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં , વિકાસમાં,સુધર્મા અને નિર્ણય પ્રક્રિયામાં ભાગીદારી રાખે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે
બાળ સંસદ ચૂંટણી માટે શાળા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ ધોરણ ૩ થી ૮ ના બાળકોએ ઉમેદવાર તરીકે નામાંકન કરી ઉમેદવારી નોંધાવી હતી. ચુંટણી પ્રક્રિયા માટે પ્રમુખ અધિકારી,પોલિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારી,સહાયક તેમજ મતદાન એજન્ટની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. શાળાના ધો.૩ થી ૮ ના તમામ બાળકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને બાળકોમાંથી સૌથી વધુ મત મેળવેલ આઠ બાળકોને ચૂંટાયેલ પ્રતિનિધિ જાહેર કરવામાં આવ્યા હતાં.સમગ્ર પ્રક્રિયા શાળાના શિક્ષક જીજ્ઞેશભાઈ સાણંદિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના સૌ શિક્ષકોએ સહયોગ આપેલ.
આ તકે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે બાળ સંસદ રચના અને તેની પસંદગીની પ્રક્રિયા આવતીકાલના નાગરિક તરીકે બાળકોમાં દૃષ્ટિ અને દિશા માટે પ્રેરક રહેશે..તેમજ આગામી લોકસભા ચૂંટણી પર્વમાં ૧૦૦ ટકા મતદાન માટે બાળકો પોતાના પરિવારને સંદેશ આપશે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...