બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સ
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૫” અંતર્ગત મોરબી તાલુકાના કેશવનગર ખાતે કેશવનગર પ્રાથમિક શાળા તથા ચકમપર પ્રાથમિક શાળા તથા જીવાપર(ચ) પ્રાથમિક શાળા માં ભૂલકાંઓને હર્ષોલ્લાસભેર આવકાર્યા.
ગ્રામ્યસ્તરના શિક્ષણથી ખરા અર્થમાં પાયાની કેળવણી મજબૂત બને છે. આ જગ્યાએ કુદરતના સાનિધ્યમાં ગુરુજનો અને શિક્ષક સાથે મળી અને વિદ્યાર્થીઓમાં કેળવણી અને શિક્ષણના બીજરોપી રહ્યા છે, જે ખૂબ જ આનંદની વાત છે.
કેળવણીમાંથી જ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે અહિંસા, પ્રેમ અને કરુણાનો ભાવ પ્રગટ થાય છે. આપણા વેદ અને પુરાણો પણ આપણને સદભાવનાની જ વાત શીખવે છે. સારા શિક્ષણ અને કેળવણીથી વિદ્યાર્થીઓમાં સદભાવનાનો દીપ પ્રજ્જવલિત થાય છે.