ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્રારા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રહેવા માટે ૫૦૦ નંગ ચકલા ઘર તથા તૃષા છુપાવવા માટે પાણીના માટીના ૮૦૦ નંગ પરબીયાનું વિનામુલ્યે જીવદયા પ્રેમીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય જીવદયા પ્રવૃત્તિમાં ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તથા ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો મહાદેવભાઈ ચિખલીયા નાનજીભાઈ મોરડીયા પ્રાણજીવનભાઈ રંગપડીયા, વસંતભાઈ માકાસણા તથા અન્ય સેવાભાવી વ્યક્તિઓ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા તથા પ્રથમ પાસ્ટ વાઈસ ડિસ્ટ્રિક ગવર્નર લા. રમેશભાઈ રૂપાલાની પ્રેરક હાજરીમાં આ જીવદયા સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવ્યો.
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે મહાદેવજીને સુંદર ફૂલો થી શણગાર અને ભવ્ય દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઇડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્ય થી પ્રખ્યાત યુ ટ્યુબર ભાવિક ગજ્જર એન્ડ કંપનીના મધુર સંગીતના સથવારે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહાઆરતીનું...
મોરબી અત્રેના સરસ્વતી શિશુ મંદિર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી ના જિલ્લા, તાલુકા, મંડલના કાર્યકર્તાઓની હાલમાં ચાલતા સદસ્યતા અભિયાન અંગે તેમજ સંગઠનનો વિસ્તાર કરવા બાબતે સંગઠનના કાર્યકર્તાઓના ઘડતર માટેની બેઠક યોજાઈ.
જેમાં સંગઠન મંત્રથી બેઠકની શરૂઆત કરવામાં આવી, બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પ્રાંત અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ, મહામંત્રી પરેશભાઈ પટેલ...
મોરબી જીલ્લા શિક્ષક શરાફી મંડળીમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેથી મોરબી શિક્ષક શરાફી મંડળીમાં સભાસદોને અન્યાય થતો હોય અને મોટાભાગના સભાસદોને મંડળીના મેનેજમેન્ટ થી અસંતોષ થતો હોય માટે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું છે.જેમાં નીચે મુજબના મુદ્દાઓનું ઉમેદવારો દ્વારા સંતોષકારક રીતે નિરાકરણ...