મોરબી: ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્રાર ભરતનગર અને માનસર રસ્તા પાસે વાધડીયા પરિવારના રજાબાઈ માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓને આરામ મળે તે હેતુથી સિમેન્ટ બેન્ચોનુ અનાવરણ કરવામાં આવ્યું હતું.
ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે તે અંતર્ગત ભરતનગર અને માનસરના રસ્તા પાસે વાધડીયા પરિવારના રાજબાઈ મંદિરે આવતા દર્શનાર્થીઓને વિસામો અને વટેમાર્ગુઓને પણ દર્શન સાથે આરામ મળે તેવી ભાવના સાથે ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો વસંતભાઈ માકાસણા હેમંતભાઈ, ભીમાણી ચંદ્રેશભાઇ અઘારા, ગોધાણી આંબાલાલ તેમજ સામાજિક સભ્યો અને પ્રમુખ ટી. સી. ફુલતરિયાની હાજરીમાં રાજબાઈ માતાજીના દર્શન સાથે આશીર્વાદ લઈ સિમેન્ટ બેન્ચોનુ અનાવરણ કરવામાં આવ્યું હતું. આવી સેવાકીય પ્રવૃતિઓ ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા કરવામાં આવે છે તેમ પ્રમુખની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...