આચારસહિંતા અમલીકરણ ચૂંટણી ખર્ચ પર દેખરેખ તથા નિયંત્રણ સંબંધે ટોલ-ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ પર ફરિયાદ નોંધાવી શકાશે
આચારસહિંતા અમલીકરણ સંબંધે cVIGIL એપ્લીકેશન પર વિડીયો તથા ફોટો સ્વરૂપે પણ ફરિયાદ કરી શકાશે
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર હોઈ આ ચૂંટણીમાં ભારતના ચુંટણી પંચ દ્વારા ચુંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિ અંગે સામાન્ય નાગરીકો cVIGIL એપ્લીકેશન દ્વારા પોતાની ફરીયાદ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી મોરબીને ફરીયાદ મોકલી શકે છે જેથી ઝડપથી આવી પ્રવૃતિ પર રોક લગાવી શકાય છે. ચુંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે નાગરિકો દ્વારા મોબાઇલ એપ્લીકેશનથી ફોટોગ્રાફ અને વિડીયો સ્વરૂપે ફરિયાદ કરી શકે તે માટે cVIGIL મોબાઈલ એપ્લીકેશન ચૂંટણી પંચ દ્વારા વેબસાઇટ મારફત ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જે માટે https://eci.gov.in/cvigil/ દ્વારા એપ્લીકેશનની લીંક મેળવી શકાશે. અથવા Play store (Android) તથા app store (iphone) માંથી cVIGIL એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે. તથા cVIGIL મોબાઇલ એપ્લીકેશન ના ઉપયોગ સંબંધે કોઇ મુશ્કેલી જણાય તો જિલ્લા cVIGIL કંટ્રોલ રૂમ ના લેન્ડલાઇન નં. ૦૨૮૨૨-૨૯૯૨૮૭ સંપર્ક કરી માહિતી મેળવી શકાશે.
કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, મોરબી ખાતે આચારસહિંતા અમલીકરણ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ તથા નિયંત્રણ સંબંધે ફરિયાદ નિયંત્રણ સેલની (૨૪ x ૭) રચના કરવામાં આવેલ છે. જેનો ટોલ-ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ છે. જેની ઉપર આચારસહિંતા સંબંધી તથા ચૂંટણી ખર્ચ સંબંધી ફરિયાદ નોંધાવી શકાશે જેની મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિસ્તારના તમામ નાગરિકોને નોંઘ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ તથા મહાનગરપાલિકા ના એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત સખી મંડળની બહેનો તથા યોજનાકીય લાભાર્થી બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ તથા આજીવિકા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત રચાયેલા સખીમંડળની બહેનો તથા યોજનાકીય...
હળવદ તાલુકાના સાપકડા ગામે ચોરે રહેણાંક મકાનને ધોળા દિવસે નીશાને બનાવી રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ કિં રૂ.50 હજારના મુદ્દામાલની ચોરી કરી ચોર ઈસમ લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અને ખેતી કરતા લક્ષ્મણભાઈ રતુભાઈ જાંબુકીયા (ઉ.વ.૪૮)એ...
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કંઝારીયા કંપનીમાં પોલીસીંગ યુનિટમા ટાઇલ્સ ઉપાડવાની ફોર ક્લીપના ડ્રાઈવરે મહિલાને ઠોકર મારતા ઈજાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના પતિએ આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લખધીપુર રોડ પર આવેલ કંઝારીયા વીટ્રીફાઇડ કંપનીની લેબર કોલોનીમાં રૂમ નં...