‘આવો મળીને યાદ કરીએ, વીરોના એ બલિદાનને સાથે મળી સન્માનીએ માતૃભૂમિના લાલને’
મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય સેનાની સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જે અનવ્યે જિલ્લાના ૬ (છ) સ્વાતંત્ર્ય સેનાનીઓના વારસદારોનું કલેકટરના હસ્તે સન્માન અભિવાદન કરવામાં આવ્યું હતું.
આવો મળીને યાદ કરીએ, વીરોના એ બલિદાનને સાથે મળી સન્માનીએ માતૃભૂમિના લાલને એવા ઉદેશ સાથે રાજ્યસરકાર દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય સેનાની સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન આપતા કલેકટરે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર આઝાદીના લડવૈયાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપિતા ગાંધીજીના આદ્યાત્મિક ગુરૂ શ્રીમદ્ રાજચંદ્રજી આપણા મોરબીના હતા જે આપણા માટે ગર્વની વાત છે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીએ અંદમાન નિકોબારની જેલમા કાળાપાણીની સજા પણ વેઠી છે. આ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ થકી આપણે આઝાદી માણી શકીએ છીએ. કારણ કે આવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના લાખો બલીદાન પછી આપણને આઝાદી મળી શકી છે. આ તકે આ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને રાજ્ય સરકાર વતિ કલેકટરે લાખ લાખ વંદન કર્યા હતા.
આ કાર્યક્રમમાં ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ્ રાજચંદ્રજી, આર્ય સમાજ સ્થાપક દયાનંદ સરસ્વતીજી, ખાખરેચી સત્યાગ્રહ માટે લીંબા દેવસી પારજીયા(પટેલ), વિરમગામ સત્યાગ્રહ માટે મોહનલાલ તુલશીદાસ પટેલ, ખાખરેચી સત્યાગ્રહ માટે ગંગારામ બેચરભાઈ બાપોદરીયા અને ૧૯૪૨ની હિંદ છોડો ચળવળ માટે મેઘજીભાઈ દેવજીભાઈ ડાભી સહિતના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓના વારસદારો/પ્રતિનિધિઓનું આ સ્વાતંત્ર્ય સેનાનીઓની ભૂમિકા અને બલિદાન માટે સન્માન/અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.
આ પ્રસંગને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન પંડ્યા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારિયા, જિલ્લા રમત ગમત અધિકારી બુધાભાઈ નાકિયા, મોરબી પ્રાંત યુવા વિકાસ અધિકારી સત્યજીતભાઈ વ્યાસ તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓના વારસદારો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીના સામાજીક, સેવાકાર્યોને બિરદાવી મોમેન્ટો સાથે સંસ્થાના સભ્યોને સન્માનિત કરાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી સ્થિત મહિલાઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનેક પ્રકારના શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય...
આગામી 13 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં યોજાવા જઈ રહેલા દેશના સૌ પ્રથમ પ્રીમિયમ ઇન્ટરનેશનલ બિલ્ડિંગ મટીરિયલ્સ એક્ઝિબિશન ‘વાયબ્રન્ટ બિલ્ડકોન 2025’ ને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ એક્ઝિબિશનને લઈને આયોજકો અને આ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહેલા એક્ઝિબિટર્સમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા...
મોરબી શહેરમાં આવેલ હેવી ટ્રાન્સમીટરની ફરતે લોખંડની ગ્રીલ લગાવવામાં આવે અને ખુલ્લી ફ્યુઝ પેટીમાં ઢાંકણા લગાવવામાં આવે જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે મોરબી શહેર પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરને મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી દ્વારા લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજા દ્વારા...