કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠકનું આયોજન કલેકટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.
જૂન મહિનાની આ સંકલન બેઠકનું નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર દ્વારા સંચાલન કરી જુદા-જુદા વિભાગોના વિવિધ આંતરીક પ્રશ્નોનો રજૂઆત કરી સંબંધિત અધિકારીઓ પાસેથી તે અંગેનો પ્રગતિ અહેવાલ તેમજ કામગીરી અંગે કલેક્ટર જે.બી.પટેલ દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટર જે.બી.પટેલ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, નાયબ પોલીસ અધિકારી અતુલ બંસલ, નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, એમ.એ.ઝાલા, સેરસિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એન. કતીરા, જિલ્લા આયોજન અધિકારી જિજ્ઞેશ બગિયા, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા તથા સલગ્ન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સતત શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસના પથ પર આગળ વધી સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ સ્થાપિત કરી રહ્યું છે.
રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ગૌરવભર્યું પ્રદર્શન
જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આયોજિત રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં નવયુગના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.
એક પાત્રિય અભિનયમાં શેરસિયા રૂહી...
મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ (એન.ડી.ડી.) ની શહેરના વિવિધ વિસ્તારોમાં ઉજવણી કરવામા આવી હતી, મોરબી મહાનગરપાલિકા માં સમાવેશ થતા જુદા જુદા વિસ્તારોમાં શાળા તેમજ આંગણવાડી ખાતે જતા 1 થી 19 વર્ષ સુધીના બાળકોને કૃમિનાશક આલ્બેંડેઝોલ ગોળી આપવામા આવી...
મોરબી: મોરબી જિલ્લાના વિરપરડા ગામે આગામી તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ ને ગુરુવારના રોજ આઈશ્રી રાજબાઈ માતાજીનો 'પ્રાગટ્ય મહોત્સવ-૨૦૨૬' અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. શ્રી રાજલધામ-વિરપરડા ખાતે સમસ્ત ઓરીયા વ્યાસ પરિવાર દ્વારા આ મંગલ પ્રસંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મહોત્સવના ભાગરૂપે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં ભવ્ય રાસ-ગરબા:...