ટંકારા પડધરી વિસ્તારમાં દેશી હોઈ કે વિદેશી દારૂનો ધીકતો ધંધો: અંકુશ લગવવમાં પોલીસ અને ધારાસભ્ય નિષ્ફળ
સૌ પ્રથમ પોલીસની વાત કરીએ તો ટંકારા પોલીસ ની કેવી કામગીરી છે એ ખૂબ ચર્ચામાં છે હાઈ પ્રોફાઈલ જુગાર ધામમાં પૈસા ખાઉ અને ધારાસભ્યના નજીકના ટંકારા પોલીસ સ્ટેશનના પ્રથમ પીઆઈ વાઈ કે ગોહિલ ને અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
વાત કરીએ હવે ધારાસભ્યની તો ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરિયાના ગામ લીલાપર- નવાગામ, હડમતીયા, બંગાવડી, ઓટાડા,ખાખરા જેવા ગામડાઓમાં દેસી દારૂ ની ભઠ્ઠીઓ દિવસ રાત ધમઘામે છે,ગામડા વિસ્તારો માં ખેત મજૂર અને કારખાના મજૂર સાંજે દેસી પોટલી પી રોડ પર ખૂલે આમ જુમ બરાબર જૂમ ની લટાર મારે છે,હમણાં થોડા દિવસો પહેલા ધારાસભ્યના ગામ લીલાપર માં દારૂની પોટલી પીને રખડતા પોટલી વીરો નો વિડિયો વાયરલ થયો હતો જેને ગુજરાત ભરમાં દારૂબંધી ના લીરેલીરા ઉડાવ્યા હતા ટંકારા વિસ્તારનો પણ મહિલા દારૂ વેચતી હોઈ અને ખુલ્લે આમ વેચતી હોઈ તેવો વિડીઓ પણ સામે આવ્યો હતો અને આવા અનેક વિડીઓ ટંકારા વિસ્તારના સામે આવી રહ્યા છે
ગામડાઓમાં ધારાસભ્ય મત લઈ ને ચૂંટાયા પછી ઘણા ગામોમાં દર્શન કરવા દુર્લભ છે તેવું ગામ લોકો કહી રહ્યા છે અમુક દારૂની ભઠ્ઠી વારાઓ ને ખુબ રાજકીય સંરક્ષણ મળેલું છે તથા પેપરમિલ ના પ્લાસ્ટિક બાળવા ની જેમ પોલીસ માં પણ ક્યાંક હપ્તા બાંધી ને ઉઘરાણું તો નથી કરવામાં આવતું એ પણ મોટો પ્રશ્ન છે
હાલ ટંકારા પડધરી વિસ્તાર માં ચર્ચાઈ રહિયું છે કે નિષ્ફળ અને પૈસા કમાવ પોલીસ અને ધારાસભ્ય દુર્લભજીભાઈ એ નૈતિકતા નેવે મૂકી દીધી છે અને આવને આવ ચાલ્યું તો એ દિવસો દૂર નહિ કે આ વિસ્તાર મા લઠ્ઠાકાંડ થવાનું દૂર નહિ અને ટંકારા પડધરી કે જે દયાનંદ સરસ્વતી ની જન્મ ભૂમિ છે તે લઠ્ઠાકાંડ ની લાશો થી બદનામ થશે.
પોલીસ અને ધારાસભ્ય એ આ બાબતે ગંભીરતા દાખવી જોઈએ નહિ તો પછી ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવું થશે.
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી "નમો વન" બનાવવામાં આવી રહ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.
આગામી 17, સપ્ટેમ્બર 2025 ને બુધવાર ના રોજભારત વર્ષના...
હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ, ટંકારા ખાતે ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ અને વિવિધ પ્રકારની...