સૌરાષ્ટ્રના શિક્ષણ રત્નો પુસ્તકમાં મોરબી જિલ્લાના દશ શિક્ષકોનો સમાવેશ
મોરબી: રાષ્ટ્રીય અને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત શિક્ષકોની શૈક્ષણિક સિદ્ધિઓ,સમાજમાં યોગદાન તથા વર્તમાન યુવા શિક્ષકોને પ્રેરણા મળે એવા શુભાશયથી ડો.કમલેશ ભરાડ કે જેઓ સહ પ્રાધ્યાપક બાગાયત વનવિદ્યા બી.આર.એસ. કોલેજ ડુમિયાણી, ચેરમેન-બોર્ડ ઓફ હોર્ટિકલચર એન્ડ ફોરેસ્ટ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પી.એચ.ડી.ગાઈડ વગેરે પદો પર ફરજ બજાવેલ છે એમની તન, મન અને ધનની મહેનતથી સૌરાષ્ટ્રના શિક્ષક રત્નો પુસ્તક રચાયું છે જેમાં ઈ. સ.1947 થી 2022 સુધીના 130 જેટલા મહામહિમ રાષ્ટ્રપતિ અને મહામહિમ રાજ્યપાલના વરદ હસ્તે સન્માનિત શ્રેષ્ઠ શિક્ષકોની શૈક્ષણિક સિદ્ધિઓને સુંદર શબ્દદેહ આપી પુસ્તકના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો યત્ન કરેલ છે, આ પુસ્તક માટે શુભેચ્છા સંદેશ આપતા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવેલ છે કે હમ જાનતે હૈ કી શ્રેષ્ઠ શિક્ષક કેવલ વિદ્યાર્થીઓ કે લીએ હી નહિ દુસરે શિક્ષકો કે લીએ ભી પ્રેરણા કા અનુપમ શ્રોત હોતે હૈ l મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ જણાવ્યું કે તિમિરમાંથી તેજ તરફ લઈ જતો જ્ઞાનપુંજ એટલે ગુરૂ. સાધરણને સિદ્ધિના સ્થાન પર બેસાડવના કિમીયાગર એટલે Teacher. શિષ્યમાં પડેલી સંભાવનાને તરાશવાનું, તપ કરવાની ધગશ અને ધૈર્ય ધરાવતા શિક્ષક શ્રેષ્ઠ પરિણામ લાવી શકે,શ્રેષ્ઠ શિક્ષકની સિદ્ધિઓને વર્ણવતું પુસ્તક સૌરાષ્ટ્રના શિક્ષક રત્નોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા આ પુસ્તકમાં મોરબીના દિનેશભાઈ વડસોલા,કમલેશભાઈ દલસાણીયા, દિનેશભાઈ ભેંસદડીયા હર્ષદભાઈ મારવણીયા પ્રેમજીભાઈ વડાવીયા, શૈલેષભાઇ કાલરીયા, રમેશભાઈ પાઠક, ઉર્મિલાબેન આસર,અંજનાબેન ફટાણીયા, અબ્દુલભાઈ હાજીભાઈ શેરસિયા વગેરે દશ શિક્ષક રત્નોની સિદ્ધિઓ અને સામાજિક યોગદાનનું વર્ણવી છે, ડો.કમલેશ ભરાડની આવી સુંદર પ્રવૃત્તિ બદલ તમામ એવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષક રત્નોએ આભાર પ્રકટ કરેલ છે.
ઇન્ડોનેશિયા ખાતે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશનની વર્કીંગ કમિટીની મીટીંગ યોજાયેલ હતી. જે ISO-TC/189 સિરામિક ટાઇલ્સ માટેનુ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન છે. જેમાં પુરા વિશ્વભર માંથી ૨૯ દેશ સભ્ય છે. તેમાંથી ૨૬ દેશ ના ડેલિગેશન ISO-TC/189 ની મીટીંગમાં હાજર રહેલ. આ વર્કિંગ કમીટી ની મીટીંગ ઇન્ડોનેશિયા ના યોગ્યાકર્તા શહેર માં તા.૧૩/૧૪ નવેમ્બરે આયોજીત થયેલ....
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા સંચાલિત મોરબી જિલ્લા ખેલ મહાકુંભ-2025 અંતર્ગત તારીખ 13-11-2025 ના રોજ મોટા દહીસરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષા ખેલ મહાકુંભનું આયોજન થયેલ.
તાલુકા કક્ષા આ ખેલ મહાકુંભ સ્પર્ધામાં મોડેલ સ્કૂલ- મોટીબરારના વિદ્યાર્થીઓ હોંશભેર સહભાગી બન્યા હતા. આ સ્પર્ધામાં...
10 નવેમ્બર 2025 ના રોજ એક 75 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ ની સારવાર માં દાખલ થયા. જ્યારે દર્દી દાખલ થયા ત્યારે તેમને ખૂબ શ્વાસ ચડવો, પેશાબ આવતો બંધ થય જવો, ગભરામણ થવી જેવી અનેક તકલીફો હતી. આગળ તપાસ કરતા જણાયુ કે દર્દી નું હૃદય...