મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબીના ડો.સાવનભાઈ અઘારા તથા ડો.સ્વાતિબેન રાંકજા કે જેઓની સગાઈ તાજેતરમાં થઈ હોય, તેમના સગાઈ પ્રસંગ તેમજ ડો. સ્વાતિબેન રાંકજાના જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી. આ તકે અશોકભાઈ ભીમજીભાઈ અઘારા, ડો. સાવનભાઈ અઘારા, ડો. સ્વાતિબેન રાંકજા સહીતનાઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના સગાઈ પ્રસંગ તેમજ જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના ડો.સાવનભાઈ અઘારા તથા ડો.સ્વાતિબેન અઘારા એ સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ સગાઈ તેમજ જન્મદીનની શુભકામના પાઠવી હતી.
મોરબીની પંચાસર ચોકડી પાસે રોડ ઉપરથી કેફી પીણું પીધેલ હાલતમાં એક યુવકને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીની પંચાસર ચોકડી પાસે એક કાર રોકી તપાસ કરતા આરોપી ધ્રુવભાઈ અંબારામભાઇ ભાલોડીયા (ઉ.વ.૩૩) રહે. રવાપર રોડ કાયાજી...
હળવદ થી રાણેકપર જતા રોડ ઉપર મહર્ષિ ગુરૂકુળના ગેટ પાસે બોલેરો ગાડીમાં બે શખ્સો આવી યુવકના છોટા હાથી વાહન પર પથ્થર મારો કરી છોટા હાથીમાં નુકસાન કરી યુવકને ઇજા પહોંચાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદના ખારીવાડી વિસ્તારમાં રહેતા ખોળાભાઈ રમેશભાઈ ટોટા (ઉ.વ૨૫) એ આરોપી...
મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલ મોંમાઈ કોમ્પલેક્ષ સામે રોડ ઉપર કારે બે બાઈકને ઠોકર મારતાં યુવક સહિત ત્રણ વ્યકિતને ઈજા પહોંચી હતી. બાદમાં અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પરથી નાસી ગયો હોવાથી આરોપી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ પાટણ...