ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે એક રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન ‘‘હર ઘર તિરંગા’’ નામે એક મહત્વનો કાર્યક્રમ ઉજવવાનું આયોજન કરવામાં આવનાર છે.
જે અંતર્ગત મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાનો, નગરપાલિકા કક્ષાનો, તાલુકા કક્ષાનો તેમજ વિવિધ શહેરોમાં અને ગ્રામીણ કક્ષાએ ”હર ઘર” તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં લોકો વિશાળ જન ભાગીદારી સાથે જોડાય અને જિલ્લા તાલુકા તેમજ નગરપાલિકા વિસ્તારના તમામ ઘરો, સસ્તા અનાજની દુકાનો, એપીએમસી, સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ, તમામ સરકારી-ખાનગી કચેરીઓ, ભવનો, શાળા, કોલેજ, તથા અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડીઓ, જેલ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, પેટ્રોલ પંપ, હોટેલ, ઉદ્યોગ ગૃહો, વાણીજ્ય સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સીએચસી વગેરે તમામ જગ્યાએ આદરપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવાના ”હર ઘર તિરંગા” કાર્યક્રમનું આયોજન કરાશે.
ભારતની સ્વતંત્રતાના ૭૫ માં વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારતમાં આઝાદીકા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત તારીખ ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘર ઘરની સાથે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટેની ગર્વની ભાવના જાગે તેવા હેતુથી ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમ યોજાશે.
આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય, વોર્ડ, શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓ વગેરે તમામ કક્ષાએ ‘‘હર ઘર તિરંગા’’ નામનો કાર્યક્રમ ઉજવવાનું આયોજન કરવામાં આવનાર છે.
મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પોલ સાથે સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી કરવામાં આવી હતી, મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક શાખા એ જુદા જુદા વિસ્તારમાં જરૂરિયાત મુજબ કુલ 151 સ્ટ્રીટ લાઈટ રૂ.58 લાખના ખર્ચે નાખી હતી. ઇલેક્ટ્રિક શાખાની આ કામગીરી થી આ વિસ્તારોમાં રાત્રિના સમયે રાહદારીઓને આવવા-જવા માં સરળતા...
મોરબી શહેરમાં રહેતા અને આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર યુવકને આરોપીએ પોતાના મોબાઈલમાં ફેક ફેસબુક આઈડી બનાવી તે પરથી યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનતી કરી ગાળો આપી તથા સાથીઓને પણ અભદ્ર ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ સબજેલ પાસે વણકરવાસમાં રહેતા ધંધો કરતા અને આમ...
રજૂ થયેલા કેન્દ્રીય બજેટ માં મોરબી જિલ્લા ને કોઈ ફાયદો નહી! પણ ભાજપ પ્રમુખ કરશે વખાણ
ગઈ કાલે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કોઈ ખાસ લાભ મોરબી કે મોરબીના સિરામિક,ઘડિયાળ,કે અન્ય ઉદ્યોગને સીધી રીતે કોઈ ફાયદો થયો નથી છતાં દેવા તળે દબાયેલા જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા આવતી...