પ્રેરણાનું પાવર સ્ટેસન, ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ ગણાય તેવા કસ્ટમરના દિલમાં વસેલા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા એક કર્મઠ કર્મચારી અતુલભાઈ એ. કાલરીયા વયમર્યાદાના કારણે નિવૃત થતા બેંક પરિવાર દ્વારા તેમનો વિદાયમાન સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ વિદાય-સન્માન સમારોહની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ બેંકના ઝોનલ ઓફિસર ચેતનભાઈ ભૂત દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું. ત્યારબાદ બેંક ઈન.મેનેજર ગૌતમભાઈ કુંડારીયા અતુલભાઈના જીવનમાંથી શીખેલી કેટલીક વાતો કરી. મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સરાફી સહકારી મંડળીના મંત્રી જયેશભાઈ બાવરવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું. સિંચાઈ કર્મચારી મંડળીના મંત્રી રાજુભાઈ સાણંદિયા તથા મોરબી તાલુકા શિક્ષક મંડળીના મંત્રી મહેન્દ્રભાઈ વાઘડિયા પણ હાજર રહ્યા હતા. બેન્કના તમામ સ્ટાફ મિત્રો દ્વારા અતુલભાઈ કાલરીયાને મોમેન્ટો તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તથા તંદુરસ્ત અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી.
મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોની હાજરીમાં ધર્મસભા પણ યોજાઇ હતી. ત્યારબાદ તમામ લોકો માટે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું જેનો હજાર લોકોએ લાભ લીધેલ હતો.
મોરબી નજીકના શારદાનગર...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ જીલ્લા કલેકટર કચેરીનું તંત્ર સાવ ખાડે ગયુ છે . સ્ટાફ પર કોઈ જાતનું કંટ્રોલ ન હોવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે કામગીરી સમયસર થતી નથી જેથી આ બાબતે યોગ્ય કરવા અન્ન અને નાગરિક પુરવઠાના પુર્વ સલાહકાર પી.પી. જોશીએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવા માંગ...