નમો વડ વન, વન કવચ, પવિત્ર ઉપવન અને મીશન લાઈફ યોજનાઓ હેઠળ વન વિભાગ બનાવી રહ્યું છે હરિયાળું મોરબી
મોરબી: ગુજરાતે હરિયાળું અને સાચા અર્થમાં ગ્રીન ગુજરાત બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી વન વિભાગ દ્વારા પણ વિવિધ યોજનાઓ અને ઉપક્રમો હેઠળ મોરબીને હરિયાળું બનાવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મોરબી જિલ્લામાં ૨૧,૧૬૬ હેક્ટર વિસ્તારમાં અનામત વન વિસ્તાર આવેલો છે. જેની જાળવણી વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. જિલ્લામાં સામાજિક વનીકરણ હેઠળ ૬ નર્સરીઓ આવેલી છે, જેના દ્વારા વિવિધ પ્રકારના રોપાઓનો ઉછેર કરી તેનું વાવેતર અને વિતરણ કરવામાં આવે છે. આગામી સમયમાં જિલ્લામાં ૧.૫ લાખ વૃક્ષો વાવવાનો નિર્ધાર વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
સરકારની નમો વડ વન યોજના અન્વયે ટંકારાના કલ્યાણપર ખાતે પ્રભુચરણ આશ્રમ પાસે અને મોરબીના મકનસર ખાતે મકનસર પાંજરાપોળ મધ્યે ખાડા, વાહતુક, તકતી અને બાંકડા મૂકવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત મકનસર પાંજરાપોળની બાજુમાં ૧ હેક્ટર વિસ્તારમાં તથા મકનસર ખાતે પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે ૨ હેક્ટર વિસ્તારમાં વન કવચ યોજના લાગુ કરવામાં આવી છે. મોરબી તાલુકાના કેરાળી ગામ ખાતે પવિત્ર ઉપવન તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં રોપા વાવેતર, બાળ ક્રીડાંગણ, આરામ માટે બાંકડા વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મિશન લાઈફ હેઠળ તાજેતરમાં જ ૫ જેટલી કિશાન શિબર અને ૯ જેટલી સાઈકલ રેલીનું આયોજન કરી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે મોરબી વન વિભાગ દ્વારા ઝાઝા હાથ રળિયામણા વિચારને ધ્યાનમાં રાખી સમગ્ર જિલ્લાવાસીઓને મોરબીને હરિયાળું બનાવવા સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં 'અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાન ઉપર સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ" અંગે કડક કાર્યવાહી કરતી મોરબી પોલીસ દ્વારા કરવામાં આવી હતી જેમાં ૩૮૯ સ્કૂલ વાન ચેક કરવામાં આવી હતી.
મોરબી જીલ્લામાં 'અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાન ઉપર સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ”...
મોરબી જિલ્લામાં વાંકાનેર પાસેના મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે બનાવવામાં આવેલ પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાસ્ત્રોક્ત વિધિ કરી લોકાર્પણ કર્યું હતું.
મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવા માટે જળ સંપતિ વિભાગ...
પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને કૃત્રિમ ઉપાયોનો ઉપયોગ ટાળીને જમીનની ફળદ્રુપતા, પાણીની શુદ્ધતા અને જૈવવિવિધતાને જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીને...