નમો વડ વન, વન કવચ, પવિત્ર ઉપવન અને મીશન લાઈફ યોજનાઓ હેઠળ વન વિભાગ બનાવી રહ્યું છે હરિયાળું મોરબી
મોરબી: ગુજરાતે હરિયાળું અને સાચા અર્થમાં ગ્રીન ગુજરાત બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી વન વિભાગ દ્વારા પણ વિવિધ યોજનાઓ અને ઉપક્રમો હેઠળ મોરબીને હરિયાળું બનાવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મોરબી જિલ્લામાં ૨૧,૧૬૬ હેક્ટર વિસ્તારમાં અનામત વન વિસ્તાર આવેલો છે. જેની જાળવણી વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. જિલ્લામાં સામાજિક વનીકરણ હેઠળ ૬ નર્સરીઓ આવેલી છે, જેના દ્વારા વિવિધ પ્રકારના રોપાઓનો ઉછેર કરી તેનું વાવેતર અને વિતરણ કરવામાં આવે છે. આગામી સમયમાં જિલ્લામાં ૧.૫ લાખ વૃક્ષો વાવવાનો નિર્ધાર વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
સરકારની નમો વડ વન યોજના અન્વયે ટંકારાના કલ્યાણપર ખાતે પ્રભુચરણ આશ્રમ પાસે અને મોરબીના મકનસર ખાતે મકનસર પાંજરાપોળ મધ્યે ખાડા, વાહતુક, તકતી અને બાંકડા મૂકવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત મકનસર પાંજરાપોળની બાજુમાં ૧ હેક્ટર વિસ્તારમાં તથા મકનસર ખાતે પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે ૨ હેક્ટર વિસ્તારમાં વન કવચ યોજના લાગુ કરવામાં આવી છે. મોરબી તાલુકાના કેરાળી ગામ ખાતે પવિત્ર ઉપવન તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં રોપા વાવેતર, બાળ ક્રીડાંગણ, આરામ માટે બાંકડા વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મિશન લાઈફ હેઠળ તાજેતરમાં જ ૫ જેટલી કિશાન શિબર અને ૯ જેટલી સાઈકલ રેલીનું આયોજન કરી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે મોરબી વન વિભાગ દ્વારા ઝાઝા હાથ રળિયામણા વિચારને ધ્યાનમાં રાખી સમગ્ર જિલ્લાવાસીઓને મોરબીને હરિયાળું બનાવવા સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
દારૂ બિયરના જથ્થા સાથે કુલ મળી કુલ 59.79 લાખના મુદ્દામાલ સાથે એક ઝબ્બે
હળવદ-માળીયા હાઇવે રોડ ઉપર આવેલ બાબા રામદેવ હોટલ સામેથી રોડ ઉપરથી ટ્રક ટ્રેલરમાં ચોખાની બોરીઓની આડમાં છુપાવેલ અલગ-અલગ બ્રાંડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૧૧૦૪ કિ.રૂ.૧૪,૩૫,૨૦૦/- તથા બિયર ટીન નંગ-૬૦૦ કિ.રૂ.૧,૩૨,૦૦૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૫૯,૭૯,૨૦૦/- ના મુદામાલ...
મોરબી તાલુકાના સોખડા નવા ગામે રહેતા યુવકે તેમના કાકા સાથે પારીવારીક મનદુઃખ અંગે સમાધાન કરેલ હોય જે આરોપીઓને સારૂં નહીં લાગતાં જેનું મનદુઃખ રાખી યુવકને ચાર શખ્સોએ લાકડી વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી જાતી પ્રત્યે અપમાનિત કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા સોખડા ગામે રહેતા...
મોરબી શહેર તેમજ જીલ્લામાં વ્યાજખોરોએ માજા મુક્યા છે મુદલ રકમ ચુકવી દીધેલ હોવા છતાં બેફામ વ્યાજની ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મોરબીના મકનસર ગોકુલનગરમા રહેતા યુવકે આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય જેની મૂળ મુદલ રકમ ચુકવી દીધેલ હોવા છતાં આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી યુવકની સહી વાળા બે ચેક...