Tuesday, May 26, 2026

પૂર્વ કેપ્ટનએ કર્યો ખુલાસો : જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ વચ્ચે શું છે તફાવત?

છેલ્લા દાયકામાં ભારતીય ક્રિકેટને અભૂતપૂર્વ સફળતા મળી છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લાં 10 વર્ષમાં 50 ઓવરના વર્લ્ડ કપથી લઈને ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન રેન્કિંગ મેળવ્યું છે. એમએસ ધોની અને વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ભારતે સતત શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે રમતના તમામ રૂપમાં રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યું છે.

આ સાથે જ, પાકિસ્તાનની ટીમ છેલ્લા એક દાયકામાં કંઈજ હાંસીલ કરી શકી નથી. જોકે, પાકિસ્તાને 2017 માં ચોક્કસપણે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, પરંતુ પૂર્વ કેપ્ટન રાશિદ લતીફએ ખુલાસો કર્યો છે કે બંને દેશોના ક્રિકેટમાં શું તફાવત છે.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે બંને દેશો વચ્ચેના ક્રિકેટના તફાવત વિશે વાત કરી હતી. લતીફે કહ્યું કે આઈપીએલ ડેટાના આધારે ભારતે તેના ટેલેન્ટ પૂલમાં વધારો કર્યો છે. બીજી તરફ પાકિસ્તાન ‘નગ્ન આંખે પ્રતિભા શોધવા’ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે કોચને ‘વેજ્ઞાનિક રીતે’ તૈયાર કરી શકવામાં સક્ષમ નથી.

તેમણે કહ્યું છે કે, “૨૦૧૦ થી ભારતીય ક્રિકેટનો વિકાસ થયો છે, જ્યારે આપણે પતન પર છીએ અમે વેજ્ઞાનિક ધોરણે કોચને તૈયાર કરી શક્યા નથી અને કોઈની પ્રતિભા પર નગ્ન આંખે વિશ્વાસ કરી શક્યા નથી. આઇપીએલ 2010થી ભારતમાં ડેટા આધારિત છે. અને તેનાથી તેમને ટેલેન્ટ પૂલ બનાવવામાં ઘણી મદદ મળી. વિદેશી કોચ પણ તેમને ખૂબ મદદ કરી. ”

લતીફે વધુમાં એક અંગ્રેજી વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું કે, “ભૂતપૂર્વ ખેલાડીઓ તેમજ વિદેશી કોચે ભારતીય ખેલાડીઓને વિકસાવવામાં મદદ કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ એક મુખ્ય તફાવત છે. આપણે પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓને કોચ તરીકે નિમણૂક કર્યા છે અને ઘણી પીએસએલ ફ્રેન્ચાઇઝી તેમને તેમની ટીમમાં મંજૂરી આપતા નથી. તે એક મોટી સમસ્યા બની ગઈ છે. ” ટીમ ઈન્ડિયા હવે 18 જૂને સાઉથેપ્ટનમાં ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે. તે જ સમયે, પાકિસ્તાનની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં વધારે પ્રદર્શન કરી શકી નહીં.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img