આગામી તારીખ 08 એપ્રિલ 2025 થી 12 એપ્રિલ 2025 સુધી રાત્રે 08:30 થી 11:30 સુધી શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથા નું ભવ્ય આયોજન સનસીટી ગ્રાઉન્ડ, એસ.પી.રોડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ ,મોરબી ખાતે કરવામાં આવ્યું છે જેમાં વ્યાસપીઠ પર થી મોરબી ના જ પ્રજ્ઞાપુત્રી પાયલબેન પટેલ કથાનું રસપાન કરાવશે…
આ સાથે તારીખ 09 એપ્રિલ થી 12 એપ્રિલ દરરોજ સવારે 07:30 થી 10:00 સુધી સંસ્કાર મહોત્સવ (ગર્ભ સંસ્કાર, અન્ન પ્રાશન, વિદ્યારંભ, નામકરણ વગેરે..) નું આયોજન કરવામાં આવેલ છે…
તો દરેક મોરબીની જનતાને કથાનું રસપાન કરવા તથા સંસ્કાર મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે…
સંસ્કાર મહોત્સવ માં ભાગ લેવા માટે જે લોકો ઇચ્છતા હોય તે લોકો એ મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર મધ્યસ્થ કાર્યાલય, રવાપર ચોકડી પાસે, કેપિટલ માર્કેટ દુકાન નં:-50 – G નો સંપર્ક કરવાનો રહશે…
વધુ વિગત માટે
9428277391:- મણિભાઈ ગડારા
9979285873 :- વી. ડી. પટેલ
9825120978:- અશ્વિનભાઈ રાવલ
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે અચાનક ચક્કર આવી પડી જતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે દોલતરામ દેવચંદ વર્મા (ઉ.વ.૪૬) રહે. મધ્યપ્રદેશવાળાને અચાનક ચક્કર આવી પડી જતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા....
માળીયા મીયાણા તાલુકાના નાના દહીંસરા ગામના પાટીયા નજીક વાસુકી કોલની બાજુમાં હાઈવે રોડ ઉપર હ્યુન્ડાઈ કંપનીની ઓરા મોડલની ગાડીએ બાઈકને હડફેટે લેતા બાઇક પર સવાર યુવકને ઇજા પહોંચી હતી જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા એક વ્યક્તિનુ મોત નિપજ્યું હતું. આ બનાવમાં આરોપી કાર ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ...