આગામી તારીખ 08 એપ્રિલ 2025 થી 12 એપ્રિલ 2025 સુધી રાત્રે 08:30 થી 11:30 સુધી શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથા નું ભવ્ય આયોજન સનસીટી ગ્રાઉન્ડ, એસ.પી.રોડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ ,મોરબી ખાતે કરવામાં આવ્યું છે જેમાં વ્યાસપીઠ પર થી મોરબી ના જ પ્રજ્ઞાપુત્રી પાયલબેન પટેલ કથાનું રસપાન કરાવશે…
આ સાથે તારીખ 09 એપ્રિલ થી 12 એપ્રિલ દરરોજ સવારે 07:30 થી 10:00 સુધી સંસ્કાર મહોત્સવ (ગર્ભ સંસ્કાર, અન્ન પ્રાશન, વિદ્યારંભ, નામકરણ વગેરે..) નું આયોજન કરવામાં આવેલ છે…
તો દરેક મોરબીની જનતાને કથાનું રસપાન કરવા તથા સંસ્કાર મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે…
સંસ્કાર મહોત્સવ માં ભાગ લેવા માટે જે લોકો ઇચ્છતા હોય તે લોકો એ મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર મધ્યસ્થ કાર્યાલય, રવાપર ચોકડી પાસે, કેપિટલ માર્કેટ દુકાન નં:-50 – G નો સંપર્ક કરવાનો રહશે…
વધુ વિગત માટે
9428277391:- મણિભાઈ ગડારા
9979285873 :- વી. ડી. પટેલ
9825120978:- અશ્વિનભાઈ રાવલ
દેશના વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારીતા મંત્રી દ્વારા આપવામાં આવેલ ‘સહકારથી સમૃધ્ધી’ સંકલ્પનાને વૈશ્વીક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૫ ને ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ જાહેર કરવામાં આવ્યું છે. જેની ઉજવણીના ભાગરૂપે એપ્રિલ માસમાં પ્રાથમિક સેવા સહકારી મંડળીઓના સભાસદની સંખ્યામાં વધારો થાય અને જન સામાન્ય મુખ્ય આર્થિક પ્રવાહમાં જોડાય તેમજ જિલ્લાના...
મોરબી શહેરમાં આવેલ ફરવા લાયક સ્થળો પર બાકડા મુકેલ છે ત્યારે મોરબીની મયુર ચોપાટી પર છે તેનાથી વધારે બાકડા મુકવા સામાજિક કાર્યકરોએ કમીશ્નરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઇ, ગીરશભાઈ છબીલભાઇ કોટેચાએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું...
મોરબી: મહેસાણા જિલ્લાના પામોલ ગામથી ૩૦ પદયાત્રિકો દ્વારા શ્રી જગતમંદિર દ્વારકા પગપાળા યાત્રા દરમ્યાન રાત્રીના મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે રોકાણ કરવામાં આવેલ એ સમયે સંસ્થા સ્ટાફ દ્વારા તેઓને રાત્રી ભોજન કરાવીને આરામ માટે રૂમ ફાળવવામાં આવ્યો હતો આ રીતે સંચાલક ટીમના પ્રતિનિધિઓ એ સરકારી વિભાગોના સુચારૂ સંકલન...