મોરબી: મોરબીની નંબર-1 નવયુગ કરીઅર એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી મેગા વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લાના અસંખ્ય યુવાન યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે PSI / ASI, કોન્સ્ટેબલ, તલાટી, જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષાઓની તૈયારીઓ કરે છે. હમણાંજ જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની તારીખ જાહેર થયેલ છે. આ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી 36 કલાકના ફ્રી મેગા વર્કશોપનું આયોજન મોરબીના વિદ્યાર્થીઓ માટે નવયુગ કરિઅર એકેડમી દ્વારા કરવામાં આવેલ છે.
આ વર્કશોપમાં ગુજરાતના નામાંકિત ફેકલ્ટીઓ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓનું બારીકાઇથી જ્ઞાન આપવામાં આવશે. પરીક્ષામાં આવતા તમામ વિષયોનું નોલેજ આપવામાં આવશે. જો આપ આ વર્કશોપમાં ભાગ લેવા માંગતા હોય તો આપનું નામ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ વર્કશોપમાં મેથ્સ અને રીઝનીંગના માસ્ટર ભૌતિક ઠક્કર સર તેમજ હિસ્ટ્રીના જાદુગર નું જેને ઉપનામ મળેલ છે, તેવા જગતદાન ગઢવી સર તેમજ તમામ વિષયના નામાંકિત ફેકલ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક કોચિંગ આપવામાં આવશે.
સાથે સાથે ભૌતિક ઠક્કર દ્વારા લખાયેલ અને નવયુગ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલ મેથ્સ અને રીઝનીંગની બુક પર 30% જેવું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો રાહ શેની જુઓ છો આજે જ આપનું નામ નીચે જણાવેલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવી લેવું
મો-નં. 9727247472
સાથે સાથે દરરોજ પરીક્ષામાં પુછાઈ શકે તેમાં મહત્વના વનલાઇનર પ્રશ્નના 2 વિડિઓ નવયુગ કરીઅર એકેડમી ના ઇન્સ્ટાગ્રામ પેઈજ પર જોવા મળશે તેમજ ડેઇલી કરંટ અફેર પણ મળશે તો નીચે આપેલ ઇન્સ્ટાગ્રામ પેઈજની લિંકને ફોલો કરો https://instagram.com/navyug_academy_morbi?igshid=YmMyMTA2M2Y=
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...