Tuesday, January 13, 2026

મોરબીના ગોર ખીજડીયા થી નારણકા અને માનસર સુધીનો રોડ રીપેર કરવા માંગ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના ગોર ખીજડીયા થી નારણકા થી માનસર સુધીનો રોડનું પેચવર્ક કરવામાં આવેલ જે પેચવર્ક કામ અધુરું મુકેલ હોય જેના કારણે અપડાઉન કરતા લોકોને હાલાકી પડી રહી હોવાથી માનસર અને નારણકા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગને રોડનું કામ પુરુ કરવા રજૂઆત કરી છે.

ગોર ખીજડીયા, નારણકા અને માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગોર ખીજડીયા થી નારણકા થી માનસર સુધીનો રોડ નવો બનાવવા માંગ કરી હતી જેમાં ક્યાંક રાજકીય રમત રમાઈ હોય તેમ એકને ગોળ અને બીજાને ખોળ જેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં ગોર ખીજડીયા સુધીનો રોડ તો થઈ ગયો પરંતુ ગોર ખીજડીયા થી નારણકા અને નારણકાથી માનસર સુધીનો રોડનું જે પેચવર્કનુ કામ ચાલુ હતુ તે રોડનું કામ અધુરું મુકેલ છે જેથી ગ્રામ્ય કક્ષાએથી અપડાઉન કરતા લોકોને હાલાકી નો સામનો કરવો પડે છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલું પેચવર્કએ સરકારની ઘોર બેદરકારી દર્શાવે છે એક જ રસ્તા પર અધૂરું કામ કરવું એ આપની નિષ્ફળતા સાબિત કરે છે.

ઉલ્લેખનીય છે કે આ રોડ બાબતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી અને ધારાસભ્ય દ્વારા એવા આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે રોડ રીપેર થઈ જશે પરંતુ ધારાસભ્યએ પણ કંઇ ધ્યાન આપ્યું નહીં જેથી ફરી એકવખત નારણકા અને માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આ રોડનું કામ પુરુ કરવા માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી છે અને જો આ બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો ગાંધી ચીધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર