મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે આવેલ શ્રી ગોર ખીજડીયા પ્રાથમિક શાળાનો 93મો જન્મોત્સવ તા. 14-02-2025 ને શુક્રવારના રોજ રાત્રે 08:00 કલાકે ગોર ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, સેલ્ફી ઝોન તથા શાળાના દાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા સમગ્ર ગોર ખીજડીયા ગામ તથા શાળા પરીવાર દ્વારા આ કાર્યક્રમમાં પધારવા લોકોને ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ કાર્યક્રમના અંતે નાસ્તાનું આયોજન કરવામાં આવેલ છે.
દિવાળીના પાવન અવસરે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા “આત્મનિર્ભર ભારત”ના સપનાને સાકાર કરવા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સંસ્થાએ 6 યુવતીઓને બ્યુટી પાર્લર અને મેહંદી કોર્સ સંપૂર્ણપણે મફતમાં શીખવવાની વ્યવસ્થા કરી છે.
આ તમામ યુવતીઓ આ તાલીમ ઉમા’ઝ પાર્લર ખાતે ઉમાબેન સોમૈયા પાસેથી મેળવશે. ઉમાબેન વર્ષોથી બ્યુટી ક્ષેત્રમાં પોતાની...
મોરબી: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ તથા એક મહીલાને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી જીલ્લા પોલીસ દ્વારા બંનેને અલગ-અલગ જેલ હવાલે કવામાં આવેલ છે.
પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ એક ઇસમ તથા એક મહીલા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓ તરફ મોકલતા શ્રી જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ...
મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મણીમંદિર થી ગાંધીજીના સ્ટેચ્યુ ત્રિકોણ બાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ હતી જેમાં મોરબી કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ વિકાસ પદયાત્રાને મહાનુભાવોએ લીલી જંડી બતાવી મણીમંદિર થી પ્રસ્થાન કરાવી હતી. ત્રિકોણ બાગ ખાતે ગાંધીજીના સુતરની આંટી પહેરાવી...