વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં યોજવાની છે. ત્યારે અલગ અલગ પક્ષો અને સમાજ દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ કોંગ્રેસ સમિતીમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ધારાસભ્ય લલિતભાઇ કગથરાની નિમણૂક કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસના ઇતિહાસમાં ગુજરાતની અંદર પ્રથમ વખત સાત કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જે અનુસંધાને જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબીમાં બાઈક રેલી યોજી કારી કારી પ્રમુખ લલિત કગથરા ના સ્વાગત સમારંભ અંતર્ગત ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે આ રેલી અંતર્ગત પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત,ઋત્વિજ મકવાણા, કિરીટ પટેલ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ,નયન અઘારા સહિતના જિલ્લાના દરેક તાલુકા મથકોના કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો અને હોદેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.ત્યારે આ ભવ્ય રેલી મહેન્દ્રનગર પાસે આવેલ ઉમિયા મંદિર ખાતેથી રવાપર ગામ ઘુનડા રોડ ખાતે આવેલ દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી ભવ્ય બાઈક રેલી યોજવામાં આવી હતી. ત્યારે લલિતભાઈ અને અન્ય કોંગી આગેવાનો દ્વારા આગામી ચૂંટણીમાં ૧૨૫ જેટલી બેઠકો કબજે કરવા માટે તૈયારી દર્શાવામાં આવી હતી.
વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે, એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા કેન્સર જાગૃતિ કાર્યક્રમ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એચસીજી ડોકટરોની હાજરીમાં સર્વાઈવર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એચસીજી ખાતે સફળતાપૂર્વક કેન્સરની સારવાર પૂર્ણ કરનારા દર્દીઓને એકત્ર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ જાગૃતિ ફેલાવવા, વહેલા નિદાનને પ્રોત્સાહન...
“ગિરનારી મંડળ” નામનું વોટસઅપ ગ્રુપ વર્ષ ૨૦૧૫થી સતત સક્રિય રીતે કાર્યરત છે, જેની સ્થાપના રાજેશભાઈ ગોહેલ દ્વારા થયેલ.આ મંડળનું મુખ્ય ધ્યેય વનસ્પતિ પરિચય, આયુર્વેદનો શાસ્ત્રોક્ત પ્રચાર, લોકોને સાચી અને સંયમિત ચિકિત્સાની સમજ આપવી, તેમજ વનસ્પતિઓનો ઔષધીય ઉપયોગ, સંવર્ધન અને સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે. સાથે સાથે, સમાજમાં પર્યાવરણના મહત્વ...