મોરબી: ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલનપીરના મેળામાં ઢીંગલો બદલાવા બાબતે બોલાચાલી કરી મહિલાને એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે હડધૂત કરી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર રોયલ પાર્કમાં રહેતા પુજાબેન નટવરલાલ પરમાર (ઉ.વ.૪૫ ) એ આરોપી વિશાલ ભગવાનજીભાઈ કોળી રહે હડમતીયા તા. ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૦૯-૨૦૨૨ ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ફરિયાદી તથા સાહેદના હડમતીયા પાલનપીર મેળામા રમકડાના સ્ટોલ ઉપર આરોપી વિશાલ ભગવાનજી એ આવી ફરીયાદી સાથે ઢિંગલો બદલી આપવા બાબતે બોલાચાલી કરી ફરીયાદી તથા સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને પોતાની જ્ઞાતી પ્રત્યે હડદુત કરી કર્યા હતા. આ બનાવ અંગે પુજાબેને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(આર),(એસ)-૩(૨)(૫-એ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...