મોરબી: ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલનપીરના મેળામાં ઢીંગલો બદલાવા બાબતે બોલાચાલી કરી મહિલાને એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે હડધૂત કરી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર રોયલ પાર્કમાં રહેતા પુજાબેન નટવરલાલ પરમાર (ઉ.વ.૪૫ ) એ આરોપી વિશાલ ભગવાનજીભાઈ કોળી રહે હડમતીયા તા. ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૦૯-૨૦૨૨ ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ફરિયાદી તથા સાહેદના હડમતીયા પાલનપીર મેળામા રમકડાના સ્ટોલ ઉપર આરોપી વિશાલ ભગવાનજી એ આવી ફરીયાદી સાથે ઢિંગલો બદલી આપવા બાબતે બોલાચાલી કરી ફરીયાદી તથા સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને પોતાની જ્ઞાતી પ્રત્યે હડદુત કરી કર્યા હતા. આ બનાવ અંગે પુજાબેને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(આર),(એસ)-૩(૨)(૫-એ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામના નીવાસી રમાબેન સવજીભાઈ સનારિયાનુ 71 વર્ષની વયે તારીખ 14/09/2025 ને રવિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ 16/09 /2025 ને મંગળવારના રોજ સાંજે 08:00 થી રાતના 10:00 કલાક સુધી પટેલ સમાજ વાડી સરવડ ગામ ખાતે...
મોરબી જિલ્લામાં આગામી ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
સમગ્ર રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયા અન્વયે સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત મોરબી જિલ્લામાં ગ્રામ્ય તથા શહેર વિસ્તારમાં સ્વચ્છતા...