મોરબી: ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલનપીરના મેળામાં ઢીંગલો બદલાવા બાબતે બોલાચાલી કરી મહિલાને એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે હડધૂત કરી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર રોયલ પાર્કમાં રહેતા પુજાબેન નટવરલાલ પરમાર (ઉ.વ.૪૫ ) એ આરોપી વિશાલ ભગવાનજીભાઈ કોળી રહે હડમતીયા તા. ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૦૯-૨૦૨૨ ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ફરિયાદી તથા સાહેદના હડમતીયા પાલનપીર મેળામા રમકડાના સ્ટોલ ઉપર આરોપી વિશાલ ભગવાનજી એ આવી ફરીયાદી સાથે ઢિંગલો બદલી આપવા બાબતે બોલાચાલી કરી ફરીયાદી તથા સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને પોતાની જ્ઞાતી પ્રત્યે હડદુત કરી કર્યા હતા. આ બનાવ અંગે પુજાબેને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(આર),(એસ)-૩(૨)(૫-એ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...