હળવદ: જી.સી.ઈ.આર. ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના માર્ગદર્શન હેઠળ બી.આર.સી.ભવન હળવદ દ્વારા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25ની હળવદ પે.સે.શાળા નંબર 4 ખાતે હર્ષભેર ઉજવણી કરવામાં આવી.
ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી ના મુખ્ય વિષય અન્વયે હળવદની વિવિધ પ્રાથમિક શાળાઓમાંથી 94 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને 47 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. બધા જ બાળ વૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શક શિક્ષકોને પ્રોત્સાહક પુરષ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ડાયેટ માંથી વિજયભાઈ સુરેલીયા અને ડૉ. હમીરભાઇ કાતડ , કે.નિ. સુનિલભાઈ મકવાણા તથા હળવદ તાલુકાના વિવિધ પ્રાથમિક શિક્ષક સંઘોના પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર પ્રદર્શનનું આયોજન હળવદ બી.આર.સી. કો. ઓર્ડીનેટર મિલનકુમાર કે. પટેલ સાહેબ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
મોરબી શહેરમાં વ્યાજખોરો ગમે તે કરી શકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે જાણે મોરબીમાં પોલીસ જ ન હોય ત્યારે મોરબીના રોહિદાસપરામા રહેતા યુવકે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય અને દર માસે વ્યાજની ચુકવણી કરતા હોય પરંતુ છેલ્લા છ-સાત માસથી વ્યાજના પૈસા ન ચૂકવી...
એન.ડી.પી.એસ/શરીર સબંધી ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા જેલ હવાલે ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
ટંકારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ તથા શરીર સબંધી ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ એન.ડી.પી.એસ તથા શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ આરોપી નિજામભાઇ ઇબ્રાહીમભાઇ...
મોરબી નીવાસી હરસિધ્ધભાઈ ગોવિંદલાલ કારીયાનુ તારીખ 13-09-2025 ને શનીવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ 15-09-2025 ને સોમવારના રોજ સાંજે 04:00 થી 05:00 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન વસંત પ્લોટ મોરબી નાગરીક બેન્કની સામે મોરબી ખાતે રાખેલ છે.
નોંધ: સસરા પક્ષની...