હળવદ તાલુકાના દીઘડીયા ગામે કપાસમાં જંતુનાશક દવાના છંટકાવ કરવાનું કામ કરેલ હોય જેથી બીમાર પડતાં યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દીઘડીયા ગામે રહેતા ૩૫ વર્ષીય સુરેશભાઈ મગનભાઈ કાંજીયા પોતાની વાડીમાં વાવેલ કપાસમાં ત્રણ દિવસ પહેલા જંતુનાશક ઝેરી દવા છંટકાવ કરવાનું કામ કરેલ હોય જેથી બીમાર થઈ જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી છે.
