હળવદ: હળવદ તાલુકાના ઈશનપુર ગામે તારે શાકભાજી લેવા આવવું નહીં તથા જાતી પ્રત્યે હડધૂત કરી આધેડને માર માર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામે રહેતા ગીરીશભાઈ નાગરભાઈ પરમાર (ઉ.વ.૪૧) એ આરોપી મનસુખભાઈ જેરામભાઈ કોળી ,વિપુલભાઈ મનસુખભાઇ કોળી, જેરામભાઈછગનભાઈ કોળી, મનસુખભાઇના પત્ની, જેરામભાઇના પત્ની ,રાધાબેન મનસુખભાઇ કોળી, મયુરીબેન મનસુખભાઇ કોળી બધા રહે.ગામ-જુના ઇશનપુર વાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૦૮-૨૦૨૨ ના સવારના સાડા સાત વાગ્યે ફરીયાદી ગીરીશભાઈ શાકભાજીની લારી પરથી શાકભાજી લેવા ગયેલ ત્યારે આરોપી મનસુખભાઇએ ફરીયાદીને કહેલ કે શાકભાજી લેવા તારે આવવાનુ નહી અને તારા ઘરે જ તારે શાકભાજી લેવાની તેમ કહેતા ફરીયાદીએ કહેલ કે આ ગામનો રોડ હોય અને મને મન થાય તે રીતે શાકભાજી લેવા આવીશ તેમ કહેલ જેનુ મનદુખ રાખી આરોપી નં.૧એ ફરીયાદીને કહેલ કે કાલે ઢેઢા તુ શું હોશીયારી કરતો હતો તને વધારે હવા છે ? તુ અહી જ ઉભો રહેજે તેમ કહી જાહેરમાં જાતી પ્રત્યે આપમાનીત કરી નજીક પોતાના ઘરેથી લોખંડનો પાઈપ લઈ આવી ફરીયાદીને લોખંડનો પાઈપ ડાબા પગે ઢીચણ થી નીચે મારી ફેક્ચર કરી તેમજ આરોપી વિપુલભાઈએ લોખંડના પાઈપ વતી ફરીયાદીને ડાબા હાથે કોણી તથા કાંડા ની વચ્ચે મારી ફેક્ચર કરી તેમજ આરોપી જેરામભાઈ એ પોતાના હાથમા રહેલ લોખંડના પાઈપ વતી ફરીયાદીના સાથી નાગરભાઈને ડાબા પગની પેનીના ભાગે ફેક્ચર તેમજ લોખંડ નો પાઈપ માથાના પાછળ ના ભાગે મારી ઈજા કરી તેમજ આરોપી નંબર મનસુખભાઇ ના પત્ની, જેરામભાઈના પત્ની, રાધાબેન,મયુરીબેનએ ચાલુ ઝઘડામા પાછળ આવી ફરીયાદી તેમજ સાથીને ઢીકા પાટુનો માર મારી શરીરે મુઢ ઈજાઓ કરી ગુન્હો કરવામા એકબીજાની મદદગારી કરી ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનનીત કરી હતી. આ બનાવમાં આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસે ઇ.પી.કો. કલમ-૩૨૩,૩૨૫,૧૧૪ તથા જી.પી.એકટ-૧૩૫ તથા એટ્રોસીટી અધિનિયમ સને-૨૦૧૫ ના સુધારાની કલમ ૩(૧)(આર)(એસ),૩(૨)(૫-એ) કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે મોરબી જિલ્લામાં પધારેલા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ હળવદ વિસ્તારમાં પિયત મંડળીઓની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘ હેઠળ મોરબીમાં હળવદ તાલુકામાં વિવિધ પિયત મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લઇ તેમની સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ આ વિસ્તારમાં...
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ૭૯ મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે આવેલ ઉદ્યાનમાં કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધોન કરવામાં આવ્યું હતું તેમજ મહાનગરપાલિકા...
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળામાં ૭૯ મો સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નાટક, ભજન, દેશ ભક્તિના ગીતો રજૂ કરાયા હતા. તેમજ શાળામાં તૈયાર કરવામાં આવેલ રોપાઓ મહેમાનો તથા ગ્રામજનોને શાળા દ્વારા વિના મૂલ્યે વિતરણ કરી એક અનોખી રીતે સ્વાતંત્ર્ય...