મોરબી: હળવદ તાલુકાના નવા ધનાળા ગામ નજીક બોલેરોએ ઠોકર મારતાં બાઈક સવારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એકને ઈજા પહોંચી હતી. જ્યારે બોલેરો ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા ધનાળા (ઘનશ્યામનગર) ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ નાનજીભાઈ તારબુંદીયાએ આરોપી બોલેરો પીકઅપ વાહન નં – GJ-11-TT- 7055 ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨-૦૯-૨૦૨૨ ના રોજ બપોરના સવા બે વાગ્યાના અરસામાં આરોપી બોલેરો પીકઅપ વાહન નં જીજે- ૧૧-ટી. ટી -૭૦૫૫ ના ચાલકે પોતાના હવાલાવાળી બોલેરો પીકઅપ પુરઝડપે ગફલતભરી રીતે અને બેફીકરાઇથી માણસોની ઝીદંગી જોખમાય તેમ ચલાવી સામે આવતા મોટરસાયકલ નંબર જીજે-૧૩-એએ-૪૧૬૩ વાળા સાથે ભટકાડી ઠોકર વાગતા સાહેદ નાનજીભાઇ જીણાભાઇ તારબુંદીયાનું મોત નિપજાવી તથા સાહેદ મનજીભાઇ વીરજીભાઇ દલવાડીને શરીરે ગંભીર ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી બોલેરો વાહનના ચાલક વિરુદ્ધ આઇપીસી ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમવીએકટ કલમ ૧૭૭, ૧૮૪, મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...