મોરબી: હળવદની સરા ચોકડી પાસે આવેલ શાર્ક માર્કેટની સામે અટલબિહારી બાજપાયના ગેટ આગળ આવેલ ફુટપાટ ઉપર જાહેરમાં ફટાકડાના સ્ટોલ નાખવા બાબતે બે જુથ્થો વચ્ચે ઝગડો થયો હતો જેમાં રાઉન્ડ ફાયરિંગ કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરનાર સાત શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદની સરા ચોકડી પાસે આવેલ શાર્ક માર્કેટની સામે અટલબિહારી બાજપાયના ગેટ આગળ આવેલ ફુટપાટ ઉપર ફટાકડાના સ્ટોલ નાખવા બાબતે બે જુથ્થો વચ્ચે ફાયરિંગ તથા સુલેહ શાંતિનો ભંગ કરનાર પંકજ ચમનભાઈ ગોઠી, ધર્મેન્દ્ર ઉફે ધમો ચમનભાઈ ગોઠી, મેહુલ રમણીકભાઈ ગોઠી, મેરો ઉફે મેરીયો પ્રેમજીભાઈ દલવાડી, ગૌતમ ઉફે ગોવલો જયંતીભાઈ ગોઠી, દિલીપસિહ જયુભા ઝાલા, સિધ્ધરાજસિહ ગેલુભા ઝાલા રહે બધા – હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૯-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે બન્ને ગૃપના આરોપીઓએ જાહેરમાં ફટાકડાના સ્ટોલ નાખવા બાબતે જાહેરમાં ઉગ્ર બોલાચાલી કરી એકબીજાને ગાળો આપી જાહેર સુલેહશાંતી ભંગ થાય તે રીતે ઝગડો કરેલ જેમા પંકજ ગોઠી તથા તેની સાથેના ધર્મેન્દ્ર ઉફે ધમો ચમનભાઈ ગોઠી, મેહુલ રમણીકભાઈ ગોઠી, મેરો ઉફે મેરીયો પ્રેમજીભાઈ દલવાડી, ગૌતમ ઉફે ગોવલો જયંતીભાઈ ગોઠી નામના ચાર માણસોએ તથા દિલીપસિહ તથા સિધ્ધરાજસિહ નાઓએ પ્રાણઘાતક હથીયારો સાથે સજ્જ થઈ ગેરકાયદેસર મંડળી રચી એકબીજા સાથે ઝગડો તકરાર કરેલ અને શરદ પુનમના કારણે આ જગ્યાએ લોકોની અવરજવર હોય તેમ છતા જાહેરમાં સામાવાળા ગૃપના માણસોને પણ ફાયરીગ કરવાથી આ જાહેર જગ્યામાં અવરજવર કરતા અન્ય પબ્લીકના માણસોને પણ આ ગોળી લાગી જવાથી મરણ નિપજી શકે તેવુ જાણતો હોવા છતા બેફામ રીતે મારી નાખવાના ઈરાદે પંકજ ગોઠીએ તેના પાસેની ગેરકાયદેસર ફાયર આર્મ વડે બે રાઉન્ડ ફાયર કરેલ અને બાકીના સાથેના માણસોએ ગુનો કરવામાં બન્ને ગૃપના માણસોએ પોતાના ગૃપને ગુનો કરવા મદદ કરુ જાહેર સુલેહ શાંતિનો ભંગ કરનાર સાત શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો.કલમ ૩૦૭,૩૦૮, ૧૪૩, ૧૪૪, ૧૪૭,૧૪૮,૧૬૦ તથા જી.પી.એક્ટ ૧૩૫ તથા આર્મ એક્ટ કલમ ૨૫(૧- બી)(એ), ૨૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજે મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે CGWB (Central Ground Water Board), WCR ના અમદાવાદ થી પધારેલા અધિકારીઓ ડૉ. રતિકાંત નાયક – પ્રાદેશિક નિયામક, બિસ્વરૂપ મહાપાત્ર – સાયન્ટિસ્ટ, સદ્દામ હુસૈન સાયન્ટિસ્ટ અને પ્રબોધ કુમાર કુશ્વાહા – STA ની ઉપસ્થિતિમાં જાગૃતિ કાર્યક્રમ તથા ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું.
આ ઇન્ટરએક્ટિવ સેશનમાં સિરામિક...
મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં કાળુભાઈ મોહનભાઈ ચૌહાણ ની વાડીએ રહેતા લેખકાભાઈ ઠુંગિયાભાઈ વસાવે ની સોળ વર્ષીય દીકરી રવિનાબેન નામની સગીરા રણજીતગઢ ગામની સીમમાં આવેલ કેનાલના કાઠે બેસીને ફોનમાં વાત કરતી હોય તે દરમિયાન ફોન કેનાલમાં પડી જતા સગીરા ફોન લેવા...