મોરબી: હળવદની સરા ચોકડી પાસે આવેલ શાર્ક માર્કેટની સામે અટલબિહારી બાજપાયના ગેટ આગળ આવેલ ફુટપાટ ઉપર જાહેરમાં ફટાકડાના સ્ટોલ નાખવા બાબતે બે જુથ્થો વચ્ચે ઝગડો થયો હતો જેમાં રાઉન્ડ ફાયરિંગ કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરનાર સાત શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદની સરા ચોકડી પાસે આવેલ શાર્ક માર્કેટની સામે અટલબિહારી બાજપાયના ગેટ આગળ આવેલ ફુટપાટ ઉપર ફટાકડાના સ્ટોલ નાખવા બાબતે બે જુથ્થો વચ્ચે ફાયરિંગ તથા સુલેહ શાંતિનો ભંગ કરનાર પંકજ ચમનભાઈ ગોઠી, ધર્મેન્દ્ર ઉફે ધમો ચમનભાઈ ગોઠી, મેહુલ રમણીકભાઈ ગોઠી, મેરો ઉફે મેરીયો પ્રેમજીભાઈ દલવાડી, ગૌતમ ઉફે ગોવલો જયંતીભાઈ ગોઠી, દિલીપસિહ જયુભા ઝાલા, સિધ્ધરાજસિહ ગેલુભા ઝાલા રહે બધા – હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૯-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે બન્ને ગૃપના આરોપીઓએ જાહેરમાં ફટાકડાના સ્ટોલ નાખવા બાબતે જાહેરમાં ઉગ્ર બોલાચાલી કરી એકબીજાને ગાળો આપી જાહેર સુલેહશાંતી ભંગ થાય તે રીતે ઝગડો કરેલ જેમા પંકજ ગોઠી તથા તેની સાથેના ધર્મેન્દ્ર ઉફે ધમો ચમનભાઈ ગોઠી, મેહુલ રમણીકભાઈ ગોઠી, મેરો ઉફે મેરીયો પ્રેમજીભાઈ દલવાડી, ગૌતમ ઉફે ગોવલો જયંતીભાઈ ગોઠી નામના ચાર માણસોએ તથા દિલીપસિહ તથા સિધ્ધરાજસિહ નાઓએ પ્રાણઘાતક હથીયારો સાથે સજ્જ થઈ ગેરકાયદેસર મંડળી રચી એકબીજા સાથે ઝગડો તકરાર કરેલ અને શરદ પુનમના કારણે આ જગ્યાએ લોકોની અવરજવર હોય તેમ છતા જાહેરમાં સામાવાળા ગૃપના માણસોને પણ ફાયરીગ કરવાથી આ જાહેર જગ્યામાં અવરજવર કરતા અન્ય પબ્લીકના માણસોને પણ આ ગોળી લાગી જવાથી મરણ નિપજી શકે તેવુ જાણતો હોવા છતા બેફામ રીતે મારી નાખવાના ઈરાદે પંકજ ગોઠીએ તેના પાસેની ગેરકાયદેસર ફાયર આર્મ વડે બે રાઉન્ડ ફાયર કરેલ અને બાકીના સાથેના માણસોએ ગુનો કરવામાં બન્ને ગૃપના માણસોએ પોતાના ગૃપને ગુનો કરવા મદદ કરુ જાહેર સુલેહ શાંતિનો ભંગ કરનાર સાત શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો.કલમ ૩૦૭,૩૦૮, ૧૪૩, ૧૪૪, ૧૪૭,૧૪૮,૧૬૦ તથા જી.પી.એક્ટ ૧૩૫ તથા આર્મ એક્ટ કલમ ૨૫(૧- બી)(એ), ૨૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ આગામી ૩-૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ જીએસટી કાઉન્સિલની ૫૬ મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાશે. આ બેઠકમાં દિવાળી પહેલા ટેક્સ ઘટાડવાના નિર્ણયો લેવામાં આવશે તેમજ આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની અપેક્ષા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
કાઉન્સિલની આ બેઠકમાં તહેવારો પહેલા ટેક્સ સ્લેબમાં...
મોરબીના જીવાપર (ચકમપર) થી પાવડીયારી કેનાલ રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પર પાણીના ટાંકા, માટીના ટ્રક, રેતીના ટ્રક ચલાવી ચલાવી ને રોડ તોડી નાખવામાં આવ્યો છે. જેના કારણે કારખાને જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ પર ચકમપર, દેવળીયા, ચરાડવા,...
મોરબીની ભૂમિ દિલેર દાતાઓની ભૂમિ છે, લોકો અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે તેમજ જરૃરિયાતમંદ લોકોને પોતાના રળેલા રૂપિયામાંથી દાન અર્પણ કરવા માટે જાણીતા છે.
ત્યારે મોરબીના લોકો પોતાની પરસેવાની કમાણી પર સેવા માટે વાપરવામાં જરાય પાછી પાની કરતા નથી ત્યારે અત્રેની બહાદુરગઢ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ ભૂલકાઓને" DHYANSH LAMINETS "(બહાદુરગઢ)...