મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામે ગળેફાંસો ખાઈ જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા વજીબેન યશવંતભાઈ ઘેટીયા ઉ.વ.૭૦ વાળાએ ગત તા.૨૯-૦૮-૨૦૨૩ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
