આફત સમયે તંત્રની સુચનાથી શહેરના સ્થળાંતરિતો માટે ૧૦૦૦૦ ફુડપેકેટ તૈયાર કરતી મોરબી ની સંસ્થા.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સવિશેષ સેવા પ્રદાન કરવામાં આવે છે ત્યારે તાજેતર માં મોરબી જીલ્લામાં ભારે વરસાદે કહેર વર્ત્યો છે તે સમયે સંસ્થા દ્વારા સંચાલિત ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ ઝુંપડપટ્ટી તેમજ દુર્ગમ વિસ્તાર માં ભોજન- પ્રસાદની વ્યવસ્થા કરી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી. ત્યારે તંત્ર તરફથી સુચના મળતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે ૧૦૦૦૦ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેમાં ૧૦૦ કીલો ગાંઠીયા વિવેક ભાઈ મીરાણી, ૧૦૦૦ ફુડ પેકેટ નો સહયોગ દરિયાલાલ અન્નક્ષેત્ર હ.અશ્વિનભાઈ કોટક તરફથી તેમજ જયેશભાઈ ટોળિયા તરફથી પ્રાપ્ત થયેલ છે. તે ઉપરાંત જ્યાં સુધી જનજીવન સામાન્ય ન થાય ત્યાં સુધી તંત્ર સાથે રહી સંસ્થા દ્વારા અવિરતપણે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીએ જણાવ્યુ છે.
આ ભગીરથ સેવા કાર્યમાં ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ ના મુખ્ય સહયોગી હીરેનભાઈ એ.દોશી, ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, પ્રિતીબેન ચંદારાણા, ગીતાબેન કારીયા, નરશીભાઈ રાઠોડ, અનિલભાઈ ગોવાણી, પપ્પુભાઈ ચંડીભમર, મનોજભાઈ પંડિત, દીનેશભાઈ સોલંકી સહીતના સંસ્થાના અગ્રણીઓ અવિરત સેવા પ્રદાન કરી રહ્યા છે.
મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફોર વ્હીલ કારમાં હેરફેરી કરતા કારમાંથી દેશી દારૂ લિટર ૬૫૦ કિં રૂ. ૧,૩૦,૦૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૪,૩૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક મહિલાને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી જ્યારે અન્ય એક શખ્સ કાયદાના સંઘર્ષમાં આવેલ છે જ્યારે એક શખ્સ સ્થળ...
મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામથી વાકળા જવાના માર્ગે ખેતરમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામથી વાકળા જવાના માર્ગે કેશવજીભાઇ જુઠાભાઈ ચીખલીયાના ખેતરમાથી અજાણ્યો પુરુષ ઉ.વ.૨૫ થી ૩૫ (જેના જમણા હાથમાં અંગ્રેજીમા D S ત્રોફાવેલ છે જેના પર લીટીત્રોફાવેલ છે) યુવક મૃત હાલતમાં...
ગુજરાતમાં પીટીસી D.le.ed માં પ્રવેશ માટે જૂની સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસ કરવાની માંગ ઉઠી
હાલ સમગ્ર ગુજરાતમાં પી.ટી.સી. એડમીશન માટે ફોર્મ ભરવાનુ ચાલુ છે. હાલના ડીઝીટલ યુગમાં તમામ એડમીશન માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે પણ આટલા ડીઝીટલાઈઝેશન મા પણ એકમાત્ર PTC એવો કોર્સ છે જેમા ઓફલાઈન ફોર્મ ભરવાનુ અને દરેક કોલેજે...